હાલમાં જ અસારવા વિસ્તારમાં આવેલી દાદા હરિ વાવનું નામ AMC દ્વારા લગાવવામાં આવેલા બોર્ડમાં બાઈ હરિરની વાવ કરી બદલી દેવામાં આવતાં સ્થાનિકોમાં મુંઝવણ જોવા મળી રહી છે.
આ અંગે સ્થાનિકોમાં એક તરફ રોષની લાગણી વ્યાપી છે ત્યારે આ અંગે ઈતિહાસકાર ડૉ. માણેક પટેલે જણાવ્યું હતું કે, આ વાવ સામાન્ય રીતે લોકોમાં દાદા હરિની વાવ તરીકે પ્રખ્યાત છે, પરંતુ તેને મહમૂદ બેગડાના અંતઃપુરની હરિર નામની બાઈએ તે બંધાવી હતી.જે તેની ધાવ માતા હતી અને તેના કારણે આ વાવને ‘બાઈ હરિર વાવ’ તરીકે ઈતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. આ અંગે સ્થાનિકોમાં AMC સામે વિરોધ જોવા મળી રહ્યો છે.
સરકારના પુરાતત્વ વિભાગની માલિકી
આ અંગે અસારવા સર્કલના પ્રમુખે જણાવ્યું કે, દાદા હરિની વાવ અસારવામાં સ્થિત છે અને દેશ વિદેશથી આવતાં લોકોમાં મહત્ત્વનું આકર્ષણ ધરાવે છે, પરંતુ છેલ્લા થોડાં દિવસોમાં જ તંત્ર દ્વારા બાઈ હરિર વાવ જેવું બોર્ડ લગાવી દીધું છે. આ વાવની માલિકી ભારત સરકારના પુરાતત્વ વિભાગની છે.
એટલું જ નહીં તેની સફાઈ અને તેના જાળવણીની પણ સંપૂર્ણ જવાબદારી પુરાતત્વ વિભાગની રહેલી છે. આ સ્થિતિમાં મ્યુનિ. કોર્પોરેશને ખોટી રીતે નામ બદલી નાખ્યું છે. આ વાવને જોવા માટે પણ દેશવિદેશથી લોકો અહીં આવતાં હોય છે આ સ્થિતિમાં નામ બદલાઈ જવાના કારણે લોકોમાં વિરોધ ઊભો થઈ શકે છે.
દાદા હરિની વાવ તરીકે વિખ્યાત
જ્યારે આ માટે શહેરના જાણીતા ઈતિસકાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક ઈતિહાસકારોના મતે બેગડાની પોતાની અથવા કોઈ પણ શાહજાદાની હરીર નામની ધાવ માતા હશે. આ બાઈ હરીરએ અસારવા નજીક હરીપુર ગામ વસાવ્યું હતું. મહમૂદ બેગડાના સમયમાં બંધાયેલી આ વાવ સામાન્ય રીતે લોકો તેને ‘દાદા હરિની વાવ’ તરીકે સુવિખ્યાત છે.
મહમૂદ બેગડાના અંતઃપુરની ‘હરિર’ નામની બાઈએ તે બંધાવી હતી. વાવની અંદરના લેખમાં વાવ બાંધકામની તારીખ વિ. સં. 1556 પોષ સુદ 13ને સોમવાર (15 ડિસેમ્બર 1499) લખેલ છે. જેથી હાલમાં લગાવવામાં આવેલ AMC નું બોર્ડ ખોટું નથી.
આ પણ વાંચો..
- Chhota Udaipur: કેવડી જંગલોમાં વાઘના રક્ષણ માટે સરકારી કાર્યવાહી, ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ
- Ahmedabad: કન્યા ચાર વર્ષ પછી પકડાઈ લૂંટેરી દુલ્હન, લગ્નના ચાર દિવસમાં જ ઘરેણાં અને રોકડ રકમ લઈ થઈ ગઈ હતી ફરાર
- Vadodara: કોટંબી સ્ટેડિયમમાં મેચોની શરૂઆત ધમાકેદાર રહી, RCB WPLમાં અજેય રહ્યું, 10 પોઈન્ટ સાથે ટેબલમાં આગળ રહ્યું.
- Surat: તડકેશ્વર પાણીની ટાંકી ધરાશાયી થવાનો મામલો, 3 અધિકારીઓ સસ્પેન્ડ, દોષિતોની ધરપકડ કરાશે
- Amreli: કુકાવાવમાં ખેતરના કૂવામાંથી બાળકીનો મૃતદેહ મળ્યો, આત્મહત્યા કે હત્યાનું કારણ અકબંધ





