Ahmedabad : અમદાવાદના રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મિટર ન લગાવનાર રિક્ષા ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો છે. 28112 રિક્ષા ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કારણ કે આ રિક્ષા ચાલકોએ મીટર લગાવ્યું નહોતું.
મિટર ન લગાવનાર રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે મીટર વગર ચાલતા 28,112 રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. રિક્ષા ચાલકો પાસેથી કુલ 1.56 કરોડનો દંડ વસુલ કરવામા આવ્યો છે. સાથે જ રિક્ષામા મિટર ન લગાવનારની રિક્ષા પણ આગામી સમયમા ડીટેઈન કરવામા આવી શકે છે.
તમને જણાવી દઈએ કે, 1 જાન્યુઆરી 2025થી રિક્ષામા મીટર લગાવવું અને તેને ચાલુ હાલતમાં રાખવું ફરજિયાત કરવામાં આવ્યુ હતું. તેમ છતાં ઘણા રિક્ષા ચાલકો આ નિમયોનું પાલન કરતા નહોતા તેથી તેમને પોલીસે દંડ ફટકાર્યો છે. અગાઉ રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ સામે આવી હતી. ત્યાર બાદ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકોને મીટર લગાવવા અપીલ કરી હતી અને સાથે ટ્રાફિક પોલીસે કડક વલણ દાખવાની પણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો..
- ‘Hera Pheri 3’ માં બાબુ રાવ પરત ફર્યા, અક્ષય કુમાર સાથેનો મામલો થાળે પડ્યો, પરેશ રાવલે અફવાઓ પર મૌન તોડ્યું
- Anant Ambani ને રિલાયન્સ તરફથી આટલા કરોડનો પગાર મળશે, નફા પર કમિશન સહિત આ ભથ્થાં પણ મળશે
- Ahmedabad plane crashની દરેક દ્રષ્ટિએ તપાસ કરવામાં આવી રહી છે; મંત્રી મુરલીધર મોહોલે કહ્યું- બ્લેક બોક્સ વિદેશ જશે નહીં
- Air India: ટોક્યોથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, કોલકાતા વાળવામાં આવી
- Tanzania: બે બસો અથડાયા બાદ આગ લાગી, 37 લોકોના મોત, 30 ઘાયલ; રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો