Ahmedabad : અમદાવાદના રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મિટર ન લગાવનાર રિક્ષા ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો છે. 28112 રિક્ષા ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કારણ કે આ રિક્ષા ચાલકોએ મીટર લગાવ્યું નહોતું.
મિટર ન લગાવનાર રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે મીટર વગર ચાલતા 28,112 રિક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. રિક્ષા ચાલકો પાસેથી કુલ 1.56 કરોડનો દંડ વસુલ કરવામા આવ્યો છે. સાથે જ રિક્ષામા મિટર ન લગાવનારની રિક્ષા પણ આગામી સમયમા ડીટેઈન કરવામા આવી શકે છે.
તમને જણાવી દઈએ કે, 1 જાન્યુઆરી 2025થી રિક્ષામા મીટર લગાવવું અને તેને ચાલુ હાલતમાં રાખવું ફરજિયાત કરવામાં આવ્યુ હતું. તેમ છતાં ઘણા રિક્ષા ચાલકો આ નિમયોનું પાલન કરતા નહોતા તેથી તેમને પોલીસે દંડ ફટકાર્યો છે. અગાઉ રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ સામે આવી હતી. ત્યાર બાદ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકોને મીટર લગાવવા અપીલ કરી હતી અને સાથે ટ્રાફિક પોલીસે કડક વલણ દાખવાની પણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો..
- PM Modi ને ઇથોપિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, “ગ્રેટ ઓનર નિશાન” પ્રાપ્ત થયો, એમ કહીને કે તે ૧.૪ અબજ લોકોના સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે.
- ઇઝરાયલ પહોંચેલા S Jaishankar એ સિડની હુમલાની નિંદા કરી અને આતંકવાદ પર એક મોટું નિવેદન આપ્યું.
- Pm Modi ને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું, કહ્યું કે આ એક સૌભાગ્ય
- અમેરિકાએ ભારતને ત્રણ અપાચે એટેક હેલિકોપ્ટર સોંપ્યા. તેને Flying Tanks કેમ કહેવામાં આવે છે?
- ત્રણ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પછી 10 મિલિયનથી વધુ મતદારોને દૂર કરવામાં આવ્યા; સંપૂર્ણ વિગતો જાણો





