Ahmedabad plane crash: લંડનથી પોતાના પિતાને દફનાવવા માટે ભારત આવ્યો હતો. પરત ફરતી વખતે તે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યો. હવે તેનો પરિવાર તેને દફનાવવા માટે રાહ જોઈ રહ્યો છે. પીડિત પરિવારે મૃતદેહની ઓળખ માટે ડીએનએ નમૂના સબમિટ કર્યા છે.
લોરેન્સ ક્રિશ્ચિયન તેના પિતાને દફનાવવા માટે ભારત આવ્યો હતો. બે અઠવાડિયા પછી, તેનો પરિવાર હવે તેને દફનાવવા માટે રાહ જોઈ રહ્યો છે. 30 વર્ષીય ક્રિશ્ચિયન બ્રિટનમાં કામ કરતો હતો. તે લંડન જઈ રહેલા એર ઈન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનરના મુસાફરોમાંનો એક હતો. ગુરુવારે અમદાવાદથી ઉડાન ભર્યાના થોડાક જ સમય પછી આ વિમાન ક્રેશ થયું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા.
ક્રિશ્ચિયનની માતા રવિનાએ અમદાવાદ સ્થિત તેના ઘરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે જ્યારે તે વિમાનમાં ચઢ્યો ત્યારે તેને વીડિયો કોલ પર જોયો અને ગુડબાય કહ્યું. તેણે કહ્યું કે તે પોતાનો ફોન બંધ કરી રહ્યો હતો અને ઉતર્યા પછી મને ફોન કરશે. આ કહેતા, રવિના તેની પુત્રી રિનલ સાથે ખૂબ રડી રહી હતી.
રવિના ક્રિશ્ચિયન મે મહિનામાં હૃદયની તકલીફને કારણે તેના પતિ ડેનિયલને ગુમાવી દીધી હતી. તેનો પુત્ર પરિવારનો એકમાત્ર કમાવનાર હતો. ક્રિશ્ચિયનના દાદી સાલ્વિના ક્રિશ્ચિયનએ કહ્યું, “અમે બધું ગુમાવી દીધું છે, અમે ત્રણેય અહીં જ રહી ગયા છીએ. અમારી તાકાત, અમારું ગૌરવ, બધું જ ગયું છે. અમે અમારા ઘરનો પ્રકાશ ગુમાવી દીધો છે.”
શોકગ્રસ્ત પરિવાર લોરેન ક્રિશ્ચિયનના અવશેષો મળે તેની રાહ જોઈ રહ્યો છે. અમદાવાદની સૌથી મોટી સરકારી હોસ્પિટલના ડોકટરો મૃતકની ઓળખ માટે ડીએનએ નમૂનાઓની તપાસ કરી રહ્યા છે.