Ahmedabad : છેલ્લા ઘણા સમયથી હ્દય રોગથી પિડાતા દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાર્ટ હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં હાલમાં દરરોજ સરેરાશ 925 દર્દી સારવાર કરાવવા માટે આવે છે. તે સિવાય દૈનિક સરેરાશ 128 દર્દીને દાખલ કરવા પડે છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલની હાર્ટ હોસ્પિટલમાં આ વર્ષે અત્યારસુધી આઉટડોરમાં 1.32 લાખ, ઈન્ડોરમાં 18239 જેટલા દર્દી નોંધાયા છે.
જેમાં 174 દર્દીમાં બલૂન, 539માં ડિવાઇસ, 501માં પેસમેકર, 2842માં સ્ટેન્ટ વિના પ્લાસ્ટિ જેવી હૃદયની સારવાર કરાઇ છે. કુલ 98214 ઈસીજી કરવામાં આવ્યા છે. કુલ 77702 દર્દીમાં ઈકો કરાયું છે.
આ પૈકી 12944 બાળ દર્દીઓનો પણ સમાવેશ થાય છે. સિવિલની હાર્ટ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી ૩ લાખથી વધુ દર્દી ઓપીડીમાં નોંધાય છે. જેમાં 2023માં 3.35 લાખ, 2024માં 3.63 લાખ દર્દીઓનો સમાવેશ થાય છે. આ સિવાય 2023માં 47230, 2024માં 50,077 દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર સિવિલની હાર્ટ હોસ્પિટલ ઉપરાંત ખાનગીમાં પણ હવે હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓ વધી રહ્યા છે. જેમાં ૪૦થી ઓછી વયના યુવા દર્દીઓનું પ્રમાણ હવે ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
આ પણ વાંચો..
- ipl 2026: દિલ્હીએ લખનૌને સતત પાંચમી વખત હરાવ્યું; સમીર રિઝવીએ શાનદાર જીત મેળવી
- sheikh haseena: શેખ હસીનાએ આઇસીટીના ચુકાદાને પડકાર્યો; મૃત્યુદંડની સજા ગેરકાયદેસર જાહેર કરી – તેમની માંગણીઓ આ રહી
- ‘Dhurandhar 2’ 900 કરોડ ક્લબમાં જોડાઈ, બે અઠવાડિયા પછી કમાણી? ‘પુષ્પા 2’ ના વિશ્વવ્યાપી કલેક્શન પર એક નજર
- iran: ઈરાનની નીતિઓ પર કોઈ સમાધાન નહીં; અમે અમારા શહીદો દ્વારા બતાવેલા માર્ગ પર ચાલીશું…
- Trump: ડોનાલ્ડ ટ્રમ્પ નાટોમાંથી અલગ થવાની જાહેરાત કરી શકે છે! ઈરાન યુદ્ધમાં સહયોગના અભાવથી ગુસ્સે





