Ahmedabad: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગાંધીનગરથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના કલેક્ટર શ્રી મેહુલ દવેએ જિલ્લામાં રહેનાર તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે કોઈપણ પરિસ્થિતિમાં નદી કિનારે ન જવું.
મુખ્ય અપીલ અને સૂચનાઓ
નદીથી દૂર રહો: નદીમાં જળસ્તર વધવાથી કિનારે આવેલા વિસ્તારોમાં જોખમ વધ્યું છે. લોકોએ સલામતી જાળવી રાખવા માટે આવા વિસ્તારોમાં પ્રવેશ ન કરવો જોઈએ.
ગણેશ વિસર્જન: આવતા ગણેશ ચતુર્થી તહેવારને ધ્યાનમાં રાખીને, કલેક્ટરે નાગરિકોને નદીમાં ગણેશજીની મૂર્તિ વિસર્જિત ન કરવા વિનંતી કરી છે.
વૈકલ્પિક વ્યવસ્થા: તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવવામાં આવ્યા છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ કુંડનો ઉપયોગ કરીને જ વિસર્જન કરે.
એલર્ટ કરાયેલા ગામો: સાબરમતી નદીના કાંઠે આવેલા ગાંધીનગર અને માણસા તાલુકાના 28 ગામોને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ ગામોના રહેવાસીઓને સાવધ રહેવા અને સલામત સ્થળે ખસી જવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
આ સંવેદનશીલ પરિસ્થિતિમાં નાગરિકોએ તંત્રની સૂચનાઓનું પાલન કરીને પોતાની અને અન્યની સલામતી સુનિશ્ચિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે, ધોધમાર વરસાદના કારણે સાબરમતી નદીનો પ્રવાહ વધી રહ્યો છે. દિવસે દિવસેને જોખમ વધી રહ્યું છે, ત્યારે તંત્ર પણ એલર્ટમોડ પર જોવા મળી રહ્યું છે.
આ દરમિયાન કોઈ જાનહાની ન સર્જાય તે માટે લોકોને સાવચેત રહેવા માટે લોકોને સચેત કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદનું જોર વધી રહ્યું છે. કેટલાક વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યાં છે. સૌરાષ્ટ્રના અનેકો જિલ્લા હાલ એલર્ટ પર છે.
આ પણ વાંચો
- Trump હેરાન, ઈરાન કરી રહ્યું છે નખરા; શાંતિ મંત્રણા ફરી શરૂ કરવા માટે મૂકી એક નવી શરત
- Rajkot: ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શિક્ષકનો કર્યો બળાત્કાર, લાખો રૂપિયા પડાવ્યા, 12 વર્ષ પછી ફેસબુક પર સંપર્ક કર્યો
- Surat: સગીરાને મિત્ર બનાવી, આધાર કાર્ડનો ઉપયોગ કરીને તેનું નામ બદલ્યું, પછી તેને હોટલમાં લઈ ગયો અને બળાત્કાર ગુજાર્યો
- Suratમાં એક મહિલાએ 8 મહિનાની પુત્રી સામે લગાવી લીધી ફાંસી; બે વર્ષ પહેલા થયા હતા લગ્ન
- લગ્ન અને છૂટાછેડાથી લઈને લિવ-ઇન રિલેશનશિપ સુધી, Gujaratમાં UCC આવ્યા બાદ શું બદલાશે; 7 વર્ષ સુધીની જેલ





