આમ આદમી પાર્ટી(AAP)નું સંગઠન સમગ્ર ગુજરાતમાં ખૂબ જ તેજીથી ફેલાઈ રહ્યું છે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વારંવાર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન દ્વારા પગલાં લેવામાં આવે છે. આજે Aam aadmi partyના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા અને મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરાના નિર્દેશ અનુસાર આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ પદની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદ શહેરને ધ્યાનમાં રાખીને અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ બે શહેર પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વ શહેર પ્રમુખ પદ પર ઓમ પ્રકાશ તિવારીને નિયુક્તિ કરવામાં આવે છે અને અમદાવાદ પશ્ચિમ શહેર પ્રમુખ પદ પર વિજય પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.

આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ દ્વારા વધુને વધુ નિયુક્તિઓ કરવામાં આવશે અને સંગઠનને મજબૂત બનાવવામાં આવશે. આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને તમામ લોકોને ક્ષમતા અનુસાર તેમને હોદ્દાઓ આપવામાં આવી રહ્યા છે, જેથી તેઓ ગુજરાતના ખૂણે ખૂણે આમ આદમી પાર્ટીનો ફેલાવો કરી શકે. આમ આદમી પાર્ટી આ તમામ નિયુક્તિઓ આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરી રહી છે અને જેના પરિણામે આવનારી નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મોટી અને ઐતિહાસિક જીત મેળવશે.