વડોદરા વિશ્વામિત્રીના પૂરને કારણે લોકોને ધાર્યા ના હોય તેવા લાખોના ખર્ચા આવી જતાં BJPના કાર્યકરો પણ સ હવે તોબા પોકારવા માંડયા છે.

૩૦ વર્ષથી BJPનું શાસન છે, વિશ્વામિત્રી માટે શું કર્યું, હિંમત હોય તો દબાણો તોડો, નૌટંકી બંધ કરો

વડોદરા BJPની ભારતીબેન, ભાણવડીયા નામની મહિલા કાર્યકરનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં રહ્યો છે.જેમાં તેમણે હાથ જોડીને ભાજપના નેતાઓને ભગવાનનો ડર રાખી નૌટંકી બંધ કરવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે, ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે તો તમે વિશ્વામિત્રીના દબાણો રોકવા કે તોડવા શું કર્યું.

અમને ભાજપના કાર્યકર તરીકે ઓળખાવતાં શરમ આવે છે, લોકો મારવા દોડે છે. મહિલાએ કહ્યું છે કે, પૂરને કારણે લોકોને ખૂબ આર્થિક નુકસાન થયું છે. તમે તો કૌભાંડો કરીને રૂપિયા ભેગા કરી લેશો, અમારા જેવા સામાન્ય માણસો ક્યાંથી ખર્ચ વેઠશે. જો તમારામાં હિંમત હોય તો દબાણો તોડો અને કાયમી ઉકેલ લાવો.