Atishi: દિલ્હીમાં આતિશી કેબિનેટની જાહેરાત કરવામાં આવી છે. આતિશી સીએમ બનવાની સાથે 21 સપ્ટેમ્બરે આ પાંચ ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લેશે. ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન ઉપરાંત મુકેશ અહલાવત કેબિનેટ બનાવશે.

દિલ્હીમાં આતિશી કેબિનેટની જાહેરાત કરવામાં આવી છે. આતિશી સીએમ બનવાની સાથે 21 સપ્ટેમ્બરે આ ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લેશે. ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન દિલ્હીમાં કેબિનેટ મંત્રી બનશે. આ સિવાય મુકેશ અહલાવત પણ આતિશીની કેબિનેટમાં સામેલ થશે. મુકેશ અહલાવતને પહેલીવાર દિલ્હી કેબિનેટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.

આતિશીની કેબિનેટમાં સામેલ થવા જઈ રહેલા મુકેશ અહલાવત સુલતાનપુર મજરાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. મુકેશ આમ આદમી પાર્ટીના અગ્રણી દલિત નેતા ચહેરાઓમાંથી એક છે.