કચ્છ ખાતે આવેલા દેશદેવી માઁ આશાપુરાના ધામ માતાના મઢ ખાતે | નવરાત્રી નિમિતે પદયાત્રા કરી હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા ઉમટે છે. | માતાના મઢની પદયાત્રાનું અનેરૂં મહાત્મ્ય છે. Rajkot થી માતાના મઢે જવા દેશ દેવી માઁ આશાપુરા પદયાત્રી સંઘનું તા.૨૩મીએ પ્રસ્થાન થશે.

Rajkot થી દેશદેવી માઁ આશાપુરા પદયાત્રી સંઘ કચ્છ ખાતે માતાના મઢે | જવા તા.૨૩ના સવારે ૭ વાગ્યે ધનેશ્વર મહાદેવનું મંદિર, માર્કેટીંગ યાર્ડ પાસે, ।આર.ટી.ઓ. ઓફિસની બાજુમાં ખાતેથી પ્રસ્થાન કરશે. દર વર્ષે આ સંઘ દ્વારા માતાના મઢની પદયાત્રા નવરાત્રી નિમિતે યોજવામાં આવે છે. આ સંઘમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાય છે. સંઘ દ્વારા દરેક પદયાત્રીને ૧ લાખનું વીમાનું સુરક્ષા કવચ પણ અપાય છે.

પદયાત્રી સંઘ રોજનું સરેરાશ ૧૮ થી ૨૫ કિ.મી.નું અંતર કાપી તા.૧લી ઓકટોબરે કચ્છ ખાતે માતાના મઢે પહોંચશે. સંઘમાં જોડાવવા માટે નામો જય ગુરૂદેવ સીટ કવર, પેડક રોડ, બગીચા સામે નોંધાવી દેવ જણાવાયું છે. રોજનું ૧૮થી ૨૫ કિ.મી.નું અંતર કાપી માઁ આશાપુરા પદયાત્રી સંઘ ૧લી ઓક્ટોબરે માતાના મઢે પહોંચશે