Amreliમાં છેલ્લા પાંચ વર્ષ કરતા વધારે સમયથી બનેલા બસ સ્ટેશનનું મુખ્યમંત્રીનાં હસ્તે તા.૨૦મીએ લોકાર્પણ કરવામાં આવનાર છે. આ બસ સ્ટેશનમાં વાઈફાઈ, સીસીટીવી કેમેરા, ફાસ્ટ ફૂડ અને મોલ સહિતની મુસાફરોને સુવિધાઓ આપવામાં આવશે.

અદ્યતન બસ સ્ટેશનમાં મુસાફરોને વાઈફાઈ, સીસીટીવી કેમેરા,ફાસ્ટ ફૂડ અને મોલ સહિતની સુવિધાઓ થશે ઉપલબ્ધ

Amreliમાં બની રહેલા નવનિર્મિત | બસ સ્ટેશનનું કામ છેલ્લા પાંચ વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહ્યું હોવાથી મુસાફરો હંગામી બસ સ્ટેશનમાં ગંદકીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા ત્યારે હવે મુસાફરોની હાલાકીનો અંત આવશે. આગામી તા.૨૦ના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી આવનાર હોવાથી તેના હસ્તે એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ થનાર છે. નવા અદ્યતન બસ સ્ટેશનમાં મુસાફરોની સુવિધાનો વિચાર કરીને બસ સ્ટેશનમાં | ૯૬ સીસીટીવી કેમેરા, વાયફાય, સાફ- સફાઈ અને સિક્યુરિટીનો કોન્ટ્રાકટ પણ અપાઈ ગયો છે.

૨૦મી સપ્ટે.એ બસ સ્ટેશનનું લોકાર્પણ થનાર હોય ત્યારે કલેકટર, વિભાગીય નિયામક સહિતના અધિકારીઓએ બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.અહીં રીઝર્વેશન ઓફીસ, પુછપરછ વિભાગ, શૌચાલય, ડીસ્પેન્સરી, કલોકરૂમ, પાર્સલ રૂમ, મુસાફરો માટે વેઈટીંગ ચેર, ફિલ્ટર સાથે પાણીનું પરબ સહિતની સુવિધાઓ મુસાફરોને મળશે તેમજ જેન્ટસ ડોરમેટરી, લેડીઝ ડોરમેટરી, રેકર્ડ રૂમ, ડ્રાઈવર-કંડકટરો માટે આરામ રૂમ, કેશ રૂમ અને વહીવટી શાખા પણ | અદ્યતન બસ સ્ટેશનમાં કાર્યરત થશે.