Forgiveness: આત્મશુદ્ધિ અને આરાધનાના સાત દિવસનો સરવાળો ક્ષમાયાચનામાં છે. ક્ષમાના બોલથી અને પ્રેમના ચક્ષુથી સંસારને સંબોધવાની અને જોવાની શીખ આપનાર પર્યુષણ પર્વનો સંવત્સરી દિને પ્રતિવર્ષ સહુની સાથે હેત અને પ્રીત બંધાય તે માટે ‘મિચ્છા મિ દુક્કડમ્’ કહેતા આવ્યા છીએ, પણ હકીકતમાં પહેલી ક્ષમા આપણે આપણા શુદ્ધ સ્વરૂપી આત્માની માગવાની છે.

Forgiveness: ક્ષમા એ પોતાના આત્માની માનવાની અને પહેલો નિશ્ચય એમાંથી બહાર આવવા માટે કરવાનો. એને માટે મન, વચન અને કાયાથી સાચો પુરુષાર્થ જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્રની કેળવણી જોઈએ, એ બધું મળે તો જ પૂર્ણ શાંત સ્વરૂપની પ્રાપ્તિ થાય.

આ આત્માનો સહજ સ્વભાવ છે ક્ષમા, એનો સ્વાદ છે Forgiveness. પણ તે ક્ષમાનું પરિણમન ન કરતાં એના વિભાવ સમા ક્રોધનો મહિમા કર્યો છે. હવે આજે તારા આત્માની ક્ષમા માગ. બીજાને અનંતવાર ક્ષમા કરી શકીશ, પરંતુ આત્માની ક્ષમા એ સૌથી પહેલી બાબત છે.

Forgiveness (ક્ષમા) ન હોય તો બધાં વ્રત, જપુ, તપ, ધ્યાન, અનુષ્ઠાન સફળ થતાં નથી. આ ક્ષમા તે આત્માનો ગુણ છે જે ક્રોધ અને કષાયથી વિકૃત થાય છે.

તારા આત્મામાં જોઈશ તો ખ્યાલ આવશે કે ક્ષમા તો એમાં પડેલી જ છે. જેમ સૂરજ પર વાદળાં છવાયાં હોય, પણ વાદળાં એ સૂરજ નથી, એમ તારા પર ક્રોધનાં વાદળ છવાયેલા છે. એને હટાવી તારા ૧ શુદ્ધ સ્વરૂપમાં આવીશ એટલે આપોઆપ ક્ષમા જાગશે. હવે જો ક્ષમા તારો સ્વભાવ હોય, તો એમાં લેવડ-દેવડ ક્યાંથી હોય! કારણ કે ક્ષમા પોતે જ ક્ષમા છે.

કામદેવ શ્રાવકની અડગ ધર્મશ્રદ્ધાને વિચલિત કરવા માટે સ્વર્ગના દેવે તોફાની હાથી, વિશાળ ફણાવાળા સર્પ અને હત્યા કરવા માટે ખડગ લઈને આવેલા હત્યારાનું રૂપ લઈને તેને ભયભીત કરવા પ્રયાસ કર્યો, પરંતુ કામદેવ શ્રાવક ધર્મમાર્ગમાં સ્થિર રહ્યો. ગર્વિષ્ટ દેવ પરાજિત પામ્યો અને એમે કહ્યું, ‘તમારા આવા સમકિતરૂપને જોવાથી મારું અનાદિકાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે. ચંદનના વૃક્ષની જેમ આપે કેટલાંય વાવાઝોડાં સહન કરીને સાહજિક ક્ષમાથી મને સમ્યકત્વરૂપી સુગંધ આપી છે’ અને આ રીતે અનેક ઉપસર્ગો સહન કરનાર કામદેવ શ્રાવક સહ ક્ષમા ધારણ કરે છે અને સ્વયં મહાવીર પૂર્ણભદ્ર ઉપદેશ આપતા શ્રાવકની ધર્મશ્રદ્ધાની અનુમોદના કરે છે.

આજે પહેલું સોપાન છે ક્ષમા માગવાનું. અને તે પોતાની જાતથી માંડીને સમગ્ર સૃષ્ટિ સુધી. બીજું કામ છે ક્ષમા આપવાનું અને ત્રીજું કામ છે આ માગવાની અને આપવાની પ્રવૃત્તિ કે પરિસ્થિતિ સાવ ક્ષુલ્લક લાગે એવી સહજ સ્થિતિ પ્રગટાવવાની. આત્મા સતત ક્ષમામાં જ વાસ કરતો હોય. જેમ શ્વાસ લેવો એ સ્વાભાવિક બાબત છે, એમ ક્ષમા પણ સ્વાભાવિક બનવી જોઈએ. જેમ શ્વાસ એ શરીરનો ધર્મ છે, એ રીતે ક્ષમા પણ જીવનનો ધર્મ બનવી જોઈએ.

ક્ષમા એ ધર્મઅનુષ્ઠાનનો માપદંડ છે. ધર્મના અનુષ્ઠાન કેટલે અંશે આત્મસાત્ થાય છે તેનો તાળો ક્ષમા પરથી મળી શકે, ક્ષમાવૃત્તિના વિકાસ પરથી મળી શકે. ક્ષમા ધર્મભાવનાનું બેરોમીટર છે. ક્ષમા ન હોય તો બધાં વ્રત, જપ, તપ, ધ્યાન, અનુષ્ઠાન સફળ થતાં નથી. આ ક્ષમા તે આત્માનો ગુણ છે જે ક્રોધ અને કપાયથી વિકૃત થાય છે.- કુમારપાળ દેસાઈ