ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર Zaheer Khanને IPL 2025 મેગા ઓક્શન પહેલા લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા તેમની ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 45 વર્ષીય ઝહીર ખાન બે વર્ષ બાદ IPLમાં પરત ફર્યો છે.

અગાઉ તે 2018 થી 2022 સુધી મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલો હતો. ઝહીર ખાનને હવે લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા મેન્ટર બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીરના KKRમાં જોડાયા બાદ LSGમાં આ પોસ્ટ ખાલી હતી.

ઝહીર ખાન બે વર્ષ પછી IPLમાં પાછો ફર્યો, LSGનો નવો મેન્ટર બન્યો
વાસ્તવમાં, ઝહીર ખાને 2008માં આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું અને તે છેલ્લે વર્ષ 2017માં આઈપીએલ રમ્યો હતો. આ પછી તે અલગ-અલગ રોલમાં જોવા મળ્યો. તે 2018 થી 2022 સુધી મુંબઈ ઈન્ડિયન્સ સાથે હતો. હવે IPL 2025માં તેને લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

તેમના પહેલા આ પદ પર ગૌતમ ગંભીર હતા, પરંતુ IPL 2024 પછી ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાઈ ગયો. તે KKRમાં જોડાયા બાદ આ પદ ખાલી હતું અને હવે તેની જગ્યાએ ઝહીર ખાનએ લીધી છે.

કોલકાતામાં આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઝહીર ખાન પણ હાજર હતો, જ્યાં ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોયનિકાએ તેને લખનૌ સુપર જાયન્ટ્સની વાદળી જર્સી આપી હતી અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. એલએસજીમાં જોડાયા બાદ ઝહીર ખાને કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે લખનૌ સુપર જાયન્ટ્સને આગલા સ્તર પર લઈ જવા માટે આખી પ્રક્રિયા તૈયાર છે અને આગામી સિઝન ખૂબ જ ખાસ બનવાની છે.