Bangladeshમાં સતત હિંસક વિરોધ, અરાજકતા અને અશાંતિ વચ્ચે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં 84 વર્ષીય યુનુસને રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. અર્થશાસ્ત્રીમાંથી રાજકારણી બનેલા યુનુસને મંગળવારે વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.