Bangladeshમાં સ્થિતિ સતત વણસી રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકા છોડી દીધું છે. હસીના સલામત સ્થળે રવાના થઈ ગઈ છે. આ દરમિયાન ઢાકામાં વડાપ્રધાનના આવાસમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા છે. એવા પણ સમાચાર છે કે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. આંદોલનકારીઓએ ઘણા મહત્વના રસ્તાઓ પણ કબજે કરી લીધા છે. ઈન્ટરનેટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ફેસબુક’, ‘મેસેન્જર’, ‘વોટ્સએપ’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ને પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ઢાકામાં સ્થિતિ અત્યંત સંવેદનશીલ છે
“હિંસા ફાટી નીકળ્યા પછી વડા પ્રધાન શેખ હસીનાએ ઢાકામાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન છોડી દીધું છે. તેમનું વર્તમાન ઠેકાણું અજ્ઞાત છે. ઢાકામાં પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે અને ટોળાએ વડા પ્રધાનના નિવાસસ્થાન પર કબજો કરી લીધો છે.”

મારી સાથે નાની બહેન છે
બાંગ્લાદેશના મીડિયા અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ સોમવારે બપોરે લગભગ 2:30 વાગ્યે એક સૈન્ય હેલિકોપ્ટરમાં “સુરક્ષિત સ્થળ” માટે તેમની નાની બહેન શેખ રેહાના સાથે બંગભવન છોડ્યું હતું.

300 થી વધુ લોકોના મોત થયા છે
બાંગ્લાદેશમાં દેશના જુદા જુદા ભાગોમાં દેખાવકારો અને હસીનાના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે. પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે. આ અથડામણમાં 300 થી વધુ લોકોના મોત થયા છે. અથડામણ રવિવારે સવારે થઈ જ્યારે વિરોધીઓ ‘ભેદભાવ સામે વિદ્યાર્થીઓ’ના બેનર હેઠળ આયોજિત ‘અસહકાર કાર્યક્રમ’માં ભાગ લેવા પહોંચ્યા. અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો જેના પગલે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.

સેના તૈનાત
આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. પોલીસને શેરીઓમાંથી હટાવી દેવામાં આવી છે. બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન દેશને સંબોધિત કરી શકે છે. દેશવ્યાપી કર્ફ્યુને અવગણીને હજારો વિરોધીઓ ઢાકાના શાહબાગ ચારરસ્તા પર લાંબી કૂચ માટે એકઠા થયા છે. આ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા.