Air India: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવની અસર ભારત પર પણ દેખાઈ રહી છે. એર ઈન્ડિયાએ ઈઝરાયેલ માટે તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. એરલાઈને માહિતી આપી કે 8 ઓગસ્ટ સુધીની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે તેલ અવીવની ફ્લાઈટ્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

મુસાફરોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતાઃ એર ઈન્ડિયા
કંપની ઈઝરાયેલની સ્થિતિ પર નજર રાખી રહી છે. કંપનીએ કહ્યું કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી છે
તમને જણાવી દઈએ કે તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાના મોત બાદ ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયેલને હુમલાની ચેતવણી આપી છે. ઈરાનની ચેતવણી બાદ મધ્ય એશિયા ક્ષેત્રમાં સ્થિતિ તંગ છે. તે જ સમયે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષે 7 ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે.