ઝીનત અમાનની ઓટીટી ડેબ્યુ સિરીઝ ‘Showstopper’ને લઈને એક આશ્ચર્યજનક અપડેટ સામે આવ્યું છે. અહેવાલ છે કે શોના નિર્માતા અને નિર્દેશકે શોમાં કામ કરી રહેલી અભિનેત્રી દિગંગના સૂર્યવંશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દિગંગના સૂર્યવંશી પર Akshay Kumarના નામ પર છેતરપિંડી કરવાનો આરોપ છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે, આ શોમાં કામ કરી રહેલી પ્રખ્યાત અભિનેત્રી દિગંગના સૂર્યવંશી પર વેબ સિરીઝના નિર્દેશક મનીષ હરિશંકર દ્વારા કેસ કરવામાં આવ્યો છે અને છેતરપિંડીનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ઝીનત અમાનની ઓટીટી ડેબ્યુ સિરીઝ ‘શોસ્ટોપર’ના નિર્માતાઓએ અભિનેત્રી દિગંગના સૂર્યવંશી વિરુદ્ધ IPCની કલમ 420 અને 406 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ છે, તેમના પર છેતરપિંડી અને વિશ્વાસના ગુનાહિત ભંગનો આરોપ મૂક્યો છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રી દિગંગનાએ અક્ષય કુમારના નામ પર છેતરપિંડી કરી છે.

અભિનેત્રીએ અક્ષય કુમારના નામે આચર્યું છેતરપિંડી

પોલીસ ફરિયાદમાં મનીષ હરિશંકરે જણાવ્યું છે કે દિગંગના સૂર્યવંશીએ અગાઉ એમઓયુ માટે કહ્યું હતું. ફરિયાદ અનુસાર, અભિનેત્રીએ ખોટો દાવો કર્યો હતો કે અક્ષય કુમાર અને તેની કંપની શોસ્ટોપરના પ્રસ્તુતકર્તા હશે. ઝીનત અમાનની ઓટીટી ડેબ્યુ સિરીઝ ‘શોસ્ટોપર’ ફરી એકવાર વિવાદમાં ફસાઈ છે. તેણે અક્ષય કુમારના નામે 6 કરોડ રૂપિયાની માંગણી પણ કરી હતી. આ સિવાય MH ફિલ્મ્સે અભિનેતા રાકેશ બેદી અને દિગંગાના ફેશન ડિઝાઈનર કૃષ્ણા પરમારને માનહાનિની ​​નોટિસ મોકલી છે.

દિગંગના સૂર્યવંશીએ નિર્માતાઓને છેતર્યા

પોલીસ ફરિયાદ મુજબ, મનીષ હરિશંકરે એ પણ ખુલાસો કર્યો છે કે દિગંગના સૂર્યવંશીએ થોડા સમય પહેલા મીડિયામાં શો વિશે ખોટા નિવેદનો આપ્યા હતા અને પ્રોજેક્ટની પ્રતિષ્ઠાને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રીએ એક MOU માટે કહ્યું હતું, જેનાથી તે અક્ષય કુમાર સાથે વાત કરી શકશે અને તેને શોના પ્રસ્તુતકર્તા તરીકે સામેલ કરી શકશે. આ ડીલ દરમિયાન અભિનેત્રીએ પોતાના માટે 75 લાખ રૂપિયા અને અક્ષય કુમારના નામે 6 કરોડ રૂપિયા માંગ્યા હતા. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અભિનેત્રીએ કથિત રીતે મનીષ હરિશંકરને કહ્યું હતું કે તેણીએ સુપરસ્ટાર સાથે વાત કરી છે અને તેની ઓફિસના બે સભ્યો શો જોવા માંગે છે. આ પછી બે વ્યક્તિઓ તેની ઓફિસમાં આવ્યા અને તેમને કહેવામાં આવ્યું કે અક્ષય શો જોવા માંગે છે.

દિગંગના સૂર્યવંશી છેતરપિંડી કેસ

‘શોસ્ટોપર’ના નિર્માતાઓએ ખુલાસો કર્યો કે જ્યારે તેઓએ અક્ષયને મળવા અને ફોન પર વાત કરવાનું કહ્યું, ત્યારે અભિનેત્રીએ બહાનું કાઢ્યું, ત્યારબાદ તેઓએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. MH ફિલ્મ્સ અને ડિરેક્ટર મનીષ હરિશંકરનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે આ ઘટનાઓની પુષ્ટિ કરી છે. આ અંગે આંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. એડવોકેટ ફાલ્ગુનીએ જણાવ્યું હતું કે અભિનેત્રી દિગંગનાએ શોના ‘શોસ્ટોપર’ માટે શો પ્રેઝેન્ટર તરીકે અભિનેતા અક્ષય કુમારના નામ પર છેતરપિંડી કરી હતી.