ગત મહિને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્ટર ગુરુચરણ સિંહ પોતાના ઘરે પરત ફર્યા હતા. તે 22 એપ્રિલથી ગુમ હતો. જો એક્ટરના પિતા હરગીત સિંહની વાત પર વિશ્વાસ કરીએ તો તેઓ ગુરુચરણના પાછા ફરવાથી ખુબ જ ખુશ છે; પણ ચિંતાતુર પણ છે. તેમને એ પણ જણાવ્યું કે ગુરુ પોતાની સાથે મોબાઈલ ફોન રાખતા નથી.

હરગીત સિંહે જણાવ્યું કે, ‘ગુરુના ઘરે પરત ફરવાથી હું અને તેમની માતા ખૂબ જ ખુશ છીએ. મારા પુત્રને સલામત અને સ્વસ્થ જોઈને મારી તબિયતમાં પણ ઘણો સુધારો થયો છે. પરંતુ પુત્રના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહે. જે દિવસે ગુરુ ઘરે પરત ફર્યા તે દિવસે તેઓ ખૂબ જ નબળા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. તેમની રિકવરીની ઝડપ થોડી ધીમી છે. આ જોવામાં તકલીફ પડે છે. તેમનું નિયમિત ચેકઅપ થઈ રહ્યું છે. ગુરુ દરરોજ અમને ખાતરી આપે છે કે તે શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થઈ જશે. અમે પણ એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુચરણ સિંહે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેઓ આધ્યાત્મિક યાત્રા પર ગયા હતા. હરગીત સિંહના કહેવા પ્રમાણે, ગુરુએ તેમની સાથે આ વિશે વાત કરી નથી. તેમણે કહ્યું, ‘ખરેખર, તે મારા કરતાં તેમની માતા સાથે વધુ વાત કરે છે. તેમણે મારી સાથે તેમની આધ્યાત્મિક યાત્રા વિશે વાત કરી નથી. સાચું કહું તો મેં પણ તેમને આ અંગે બહુ પુછપરછ નથી કરી. મારા પુત્રને મારી નજર સામે જોઈને મને ખૂબ સંતોષ થાય છે. આ સમયે આનાથી મોટું કંઈ ન હોઈ શકે.

ગુરુચરણ તેમના કામના સંબંધમાં મોટાભાગનો સમય મુંબઈમાં વિતાવે છે. જ્યારે તેના માતા-પિતા દિલ્હીમાં રહે છે. તો શું ગુરુચરણ ફરી મુંબઈ પાછા આવશે? આ અંગે હરગીત સિંહ કહે છે, ‘ગુરુની માતાએ પણ તેમને આ સવાલ પૂછ્યો હતો. પણ ગુરુ પાસે પણ જવાબ નથી. તેઓએ હજુ આગળ શું કરવું તે અંગે કોઈ નિર્ણય લીધો નથી. અમે બંને વૃદ્ધ પણ છીએ, તેથી શક્ય છે કે તે હવે અમારી સાથે રહે. અમે ફક્ત અમારા પુત્રને ખુશ અને સ્વસ્થ જોવા માગીએ છીએ.

વાતચીત દરમિયાન હરગીત સિંહે જણાવ્યું કે ગુરુચરણ સિંહ પોતાની સાથે મોબાઈલ રાખતા નથી. તેમણે થોડા દિવસોથી પોતાનો નંબર પણ સ્વીચ ઓફ કરી દીધો છે. નોંધનીય છે કે, ગુરુચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીમાં તેમના ઘરેથી મુંબઈ જવા રવાના થયા; પરંતુ ન તો એરપોર્ટ પહોંચ્યા કે ન તો ઘરે પરત ફર્યા. આ પછી દિલ્હી પોલીસે અપહરણનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.