‘તારક મહેતા…’ ને મળી ગઈ નવી દયા?

દિશા વાકાણીનું ‘દયાબેન’નું પાત્ર ખૂબ જ ફેમસ થયુ હતું પરંતુ દિશા વાકાણીએ 2017માં ‘તારક મહેતા’ને અલવિદા કહી દીધું છે

હવે ખબર આવી રહી છે કે, ‘તારક મહેતા’  માટે નવી દયાબેન મળી ચુકી છે જેનિફર મિસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે

તેણે જણાવ્યું કે, એક એક્ટ્રેસ છે જે 100% શો ની દયા જેવી છે

તેણે એ પણ જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષથી દિલ્હીથી મુંબઈ તેને ઓડિશન માટે બોલાવવામાં આવી હતી

પરંતુ તે ખૂબ જ યંગ છે જેના કારણે ઉંમરમાં ઘણો અંતર દેખાતો હતો તેણે એ પણ જણાવ્યું કે, બધાની સાથે તેનું મૉક શૂટ પણ થયુ હતું

મેકઅપ બાદ ઘણી હદ સુધી તે દયાબેન જેવી દેખાતી હતી જોકે, તેણે એક્ટ્રેસનું નામ નથી લીધું