આયુર્વેદમાં મધને એક ઔષધ માનવામાં આવે છે

ઘણીવાર મધમાં ખાંડની ચાસણી, ગોળ અથવા કોર્ન સીરપ ભેળવીને તેને નકલી બનાવવામાં આવે છે  

એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ નાખો. અસલી મધ ગ્લાસમાં નીચે બેસી જાય છે અને તે તરત પાણીમાં ઓગળતું નથી.

અંગૂઠા પર મધનું એક ટીપું રાખો. જો તે ફેલાઈ જાય અથવા વહેવા લાગે, તો તે ભેળસેળવાળું હોઈ શકે છે

મધમાં થોડું પાણી અને વિનેગરના થોડા ટીપાં ઉમેરો. જો તેમાં ફીણ વળવા લાગે, તો સમજી લેવું કે તેમાં ભેળસેળ હોઈ શકે છે.