Isudan Gadhvi News: બોટાદ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આજે આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રમેશભાઈ મેર, હંસરાજભાઈ ભાલાળા, વિપુલભાઈ ઉર્ફે કમલેશભાઈ હકાભાઇ હરિયાણી, વિપુલભાઈ મકવાણા અને જીતેન્દ્રભાઈ ગોવિંદિયાને મળીને કુલ મળીને સાત લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને આખરે સત્યની જીત થઈ છે. આ બાબતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સત્યની જીત તો હંમેશા થાય જ છે. ભાજપે કડદા કરનારાઓની જગ્યાએ કડદા પ્રથાને બંધ કરવાવાળા લોકોને જેલમાં નાખ્યા હતા જેના કારણે ગુજરાતના 54 લાખ ખેડૂતો, ખેતમજૂરો, શ્રમિકો અને ભાગ્યાઓમાં રોષ જોવા મળ્યો હતો. ભાજપે હડદડમાં એવો જ અત્યાચાર કર્યો જેવો અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં કર્યો હતો અને ત્યારબાદ રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરીયા, પિયુષ પરમાર સહિત અનેક ખેડૂતો આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો જેલમાં ગયા. આ તમામ લોકોમાંથી છેલ્લા સાત આગેવાનો જે બાકી રહ્યા હતા તે તમામ સાત લોકોને આજે જામીન મળ્યા છે. કોર્ટના આ નિર્ણય બાદ ખેડૂતોના ચહેરા પર ખુશી આવી છે.

વધુમાં પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ જણાવ્યું હતું કે, આપણે જોયું કે આ તમામ લોકોએ દિવાળી અને ઉત્તરાયણ જેવા તહેવારો પણ જેલમાં મનાવ્યા હતા. આ તમામ લોકો પોતાના માટે નહીં પરંતુ ખેડૂતો માટે આટલા સમય જેલમાં રહ્યા અને ભાજપે પૂરો પ્રયત્ન કર્યો કે આ તમામ ખેડૂતો અને આગેવાનો વધુમાં વધુ સમય જેલમાં રહે પરંતુ આખરે હવે સત્યની જીત થઈ અને આ તમામ લોકોને જામીન મળ્યા છે, આ તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું. આ તમામ કિસાન નેતાઓના સમર્થન અમે 10 જેટલી કિસાન મહાપંચાયતોનું આયોજન કર્યું હતું. આ કિસાન મહાપંચાયતોમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન પણ આવ્યા હતા. સાથે સાથે 12,000 જેટલી નાની મોટી મિટિંગો કરી હતી અને 80,000 જેટલા પત્રો ખેડૂતો પાસેથી લખાવીને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા અમે ગયા હતા. અમે મુખ્યમંત્રી સમક્ષ એ સમર્થન પત્ર પણ આપ્યા હતા જેમાં ખેડૂતો સહિત અમારી તમામ લોકોને માંગણી હતી કે કડદા કાંડ કરનારા લોકોને સજા મળે અને ખેડૂતોને આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે. આ તમામ નેતાઓ પોતાના પરિવારથી ખૂબ લાંબો સમય દૂર રહ્યા. હું આપ તમામ ખેડૂત મિત્રોને જણાવવા માંગુ છું કે તમારા માટે લડત લડનાર નેતાઓ ફરીથી તમારી વચ્ચે આવી રહ્યા છે. અને અમને ખાતરી છે કે ડબલ બુલંદીથી તેઓ તમારો અવાજ ઉપાડશે. ભાજપે જેટલા અત્યાચાર કરવા હતા એ કરી લીધા પરંતુ અમારા કોઈ પણ નેતા ડર્યા નથી. તો હવે આગામી સમયમાં અમે આ તમામ નેતાઓની સાથે રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીશું.