AAP News: આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં મજબૂતીથી આગળ વધી રહી છે અને ગુજરાતના ખૂણે ખૂણે કિસાન મહાપંચાયત, ગુજરાત જોડો જનસભા, મહોલ્લા સભા, વિધાનસભા કાર્યકર્તા બેઠક અને સંગઠન બેઠક યોજવામાં આવી રહી છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ સાબરકાંઠાના પ્રાંતિજ વિધાનસભામાં વિધાનસભા કાર્યકર્તા બેઠકમાં હાજરી આપી હતી. આ વિધાનસભા કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ મહામંત્રી સાગર રબારી, લોકસભા ઇન્ચાર્જ જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા પ્રભારી જીતેન્દ્રસિંહ પરમાર, મહિલા જિલ્લા પ્રભારી ચંદનબેન ખરાડી, વિધાનસભા પ્રભારી હિતેન્દ્રસિંહ પરમાર, વિધાનસભા સહ ઇન્ચાર્જ ધર્મેન્દ્ર પટેલ, વિધાનસભા સહ ઇન્ચાર્જ ભાવિક સિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.
આ વિધાનસભા કાર્યકર્તા બેઠકમાં AAP નેતા દ્વારા પ્રાંતિજ વિધાનસભામાં આમ આદમી પાર્ટી દ્વારા ચાલી રહેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણી મુદ્દે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સંગઠનની રણનીતિ બનાવી હતી અને સંગઠન વધુ મજબૂત થાય એ દિશામાં નક્કર પગલા લેવા માટેની કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આમ આદમી પાર્ટી પ્રાંતિજ વિધાનસભાની સાથે સાથે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ પોતાનો વ્યાપ વધારી રહી છે, આનાથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આવનારા સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં પ્રાંતિજ વિધાનસભામાં આમ આદમી પાર્ટીનાં ઐતિહાસિક પરિણામો આવશે.





