PM Modi to Visit Manipur: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત લેશે તે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના પ્રવાસ અંગે અટકળો ચાલતી હતી, પરંતુ હવે મણિપુરના મુખ્ય સચિવે પુષ્ટિ કરી છે કે વડાપ્રધાન મોદીની આ મુલાકાતથી રાજ્યમાં શાંતિ અને વિકાસ માટે નવો માર્ગ ખુલશે.
હિંસાના બાદ મોદીની પ્રથમ મણિપુર યાત્રા
માર્ચ 2023થી મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ભયાનક હિંસાની ઘટનાઓ બની હતી, જેમાં અનેક લોકોના મોત થયા હતા. તે બાદ રાજ્યમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે હવે વડાપ્રધાન મોદીનો મણિપુર પ્રવાસ યોજાશે. તેઓ 13મી સપ્ટેમ્બરે બપોરે 12:15 વાગ્યે મિઝોરમના આઈઝોલથી ચુરાચાંદપુર પહોંચશે. અહીં તેઓ વિસ્થાપિત થયેલા લોકો સાથે વાતચીત કરશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે. આ મોદીની મણિપુરમાં પહેલી મુલાકાત રહેશે જે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ બની શકે છે.
વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન
અધિકારીઓએ માહિતી આપી કે ચુરાચાંદપુર ખાતે પીસ ગ્રાઉન્ડથી વડાપ્રધાન મોદી લગભગ 7300 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું શિલાન્યાસ કરશે. આ વિસ્તાર કુકી સમુદાયના બહુમતી વસ્તીવાળો છે. તેમજ ઇમ્ફાલ શહેરમાં મેઇતૈ વસ્તી માટે 1200 કરોડ રૂપિયાના માળખાગત પ્રોજેક્ટ્સનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે. રાજ્યના બંને મુખ્ય વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યોથી શાંતિ અને પ્રગતિ માટે સંકલ્પ વ્યક્ત કરવામાં આવશે.
મોદીની મુલાકાત માટે હોર્ડિંગ્સ અને તૈયારીઓ
મણિપુરમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમના પ્રચાર માટે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને ઇમ્ફાલના કેશમપટ જંક્શન પાસે ભાજપ મુખ્યાલયની નજીક એક પ્રમુખ સ્થળ પર હોર્ડિંગ મૂકવામાં આવ્યું છે. આવી જ અન્ય જગ્યાઓએ પણ હોર્ડિંગ્સ લગાવવામાં આવે તેવી શક્યતા છે. ફેબ્રુઆરીથી અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, કારણ કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના રાજીનામા બાદ રાજકીય પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે.
એડવાઇઝરી જાહેર
મોદીની મુલાકાત દરમિયાન જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ખાસ એડવાઇઝરી જાહેર કરી છે. તેમાં જણાવાયું છે કે, 13 સપ્ટેમ્બરે પીસ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા VVIP કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોને ચાવી, પેન, પાણીની બોટલ, બેગ, રૂમાલ, છત્રી, લાઇટર, મેચબોક્સ, કપડાના ટુકડા, કોઈપણ તીક્ષ્ણ વસ્તુઓ, શસ્ત્રો કે દારૂગોળો લઈને ન આવવા સૂચના આપવામાં આવી છે. એડવાઇઝરીમાં વડાપ્રધાનના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ જનતાને સલાહ આપવામાં આવી છે કે, 12 વર્ષથી નાની ઉંમરના બાળકો અને બીમાર વ્યક્તિઓને કાર્યક્રમ સ્થળે લાવવાનું ટાળવું.
સુરક્ષા વધારાઈ
મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ઇમ્ફાલ અને ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા દળોની ટીમ ચુરાચાંદપુર પહોંચી ગઈ છે. પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને પીસ ગ્રાઉન્ડ તરફ જતાં રસ્તાઓ પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય.
આ રીતે વડાપ્રધાન મોદીની મણિપુર મુલાકાત શાંતિ અને વિકાસ માટે રાજ્ય માટે આશાની કિરણ બની રહી છે અને તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો
- PM મોદી પર હતી હુમલો કરવાની યોજના, જી કિશન રેડ્ડીએ Rahul Gandhi પર લગાવ્યા ગંભીર આરોપ
- Silver Price: ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો, આશરે 9 ટકાનો ઘટાડો
- DJ બંધ થવાથી થવાથી કલાકારો બેરોજગાર થઈ જશે, Banaskanthaમાં એક પ્રોગ્રામ દરમિયાન Vikram Thakorએ આપ્યું નિવેદન
- Ahmedabadની સેવન્થ ડે સ્કુલમાં મારામારીની ઘટનાથી મચ્યો ખળભળાટ, બ્લેડથી શર્ટના બટન…
- RBI એ રેપો રેટ યથાવત રાખ્યો, EMI રાહતની આશાઓ પર પાણી ફરી વળ્યું





