Air India flight: રવિવારે ઈન્દોર જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટને દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી, કારણ કે પાઈલટને એક એન્જિનમાં ‘આગ લાગવાની’ સૂચના મળી હતી.
અહેવાલો અનુસાર, ફ્લાઈટ AI2913 દિલ્હીથી ઉડાન ભરી હતી, પરંતુ 30 મિનિટથી વધુ સમય સુધી ઉડાન ભર્યા પછી પાછી ફરી હતી કારણ કે પાઈલટને જમણા એન્જિનમાં આગ લાગવાની સૂચના મળી હતી.અહેવાલો અનુસાર, કોકપીટ ક્રૂએ માનક સંચાલન પ્રક્રિયાનું પાલન કર્યું હતું અને એક એન્જિનને હવામાં બંધ કરી દીધું હતું.
90 મુસાફરોને લઈને ફ્લાઈટ રવિવારે સવારે દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતરી હતી.ટેકનિકલ નિરીક્ષણ માટે વિમાનને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને જાણ કરવામાં આવી છે.
એર ઈન્ડિયાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “31 ઓગસ્ટના રોજ દિલ્હીથી ઈન્દોર જતી ફ્લાઈટ AI2913 ટેકઓફ પછી તરત જ દિલ્હી પરત ફરી હતી, કારણ કે કોકપીટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાની સૂચના મળી હતી. માનક પ્રક્રિયાને અનુસરીને, કોકપીટ ક્રૂએ એન્જિન બંધ કરવાનો નિર્ણય લીધો અને દિલ્હી પરત ફર્યા, જ્યાં ફ્લાઈટ સુરક્ષિત રીતે ઉતરી ગઈ”.
એલાર્મ વાગતા જ મુસાફરોમાં થોડી ગભરાટની સ્થિતિ સર્જાઈ, પરંતુ પાયલોટે તાત્કાલિક સાવચેતી અપનાવી એન્જિન બંધ કર્યું અને વિમાન પર સંપૂર્ણ નિયંત્રણ રાખ્યું. ત્યારબાદ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું અને થોડા જ સમયમાં તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
- Suratમાં યુકે, કેનેડા સહિત અનેક દેશોના નકલી વિઝા મળતા, આ રીતે પ્રકાશમાં આવ્યો મામલો
- Mumbai-Ahmedabad Bullet Train: યુપીના હાપુડમાં બનેલો ‘બાહુબલી’ સ્ટીલ બ્રિજ ગુજરાતમાં થયો સ્થાપિત, જાણો તેની વિશેષતાઓ
- Gujarat: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાનો નવો અંદાજ આવ્યો સામે … સાડી પહેરતી હતી છતાં પણ કબડ્ડી રમ્યા
- Vadodaraમાં હેડ કોન્સ્ટેબલેની અટકાયત, નશામાં લોકો સાથે કર્યું અભદ્ર વર્તન કર્યું
- Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં 211મા બ્રેઈન ડેડ દર્દીના અંગોનું દાન કરાયું, અનિલના અંગોએ ત્રણ લોકોને આપ્યું નવું જીવન