Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં ધો.10ના વિદ્યાર્થીની હત્યાના મામલે ઉભેલા વિવાદને પગલે સરકાર તથા ડીઈઓની કડક કાર્યવાહી શરૂ થઈ છે. સ્કૂલની માન્યતા તથા સરકારની એનઓસી રદ કરવા માટે આપવામાં આવેલી શો-કોઝ નોટિસનો ખુલાસો કરવા આજે પુનાથી મેનેજમેન્ટના પ્રતિનિધિઓ અમદાવાદ ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. પરંતુ ડીઈઓએ આ ખુલાસો માન્ય રાખ્યો નહતો અને સ્કૂલના લેટરપેડ પર વિધિવત રીતે ખુલાસો કરવા આદેશ કર્યો હતો. સાથે જ તાકીદે આચાર્ય તેમજ જવાબદાર સ્ટાફને છુટા કરવાની સૂચના આપી હતી.
પુનાની હેડ ઓફિસમાંથી આવેલા પ્રતિનિધિઓનો ખુલાસો અમાન્ય રાખતાં હાલ મેનેજમેન્ટને નવા સिरेથી સ્પષ્ટીકરણ આપવા ફરજ પાડવામાં આવી છે. ગત મંગળવારે બનેલી હત્યાની ઘટનાને પગલે વાલીઓ તથા સ્થાનિકોમાં ભારે રોષ છે. આજે એબીવીપીના કાર્યકરોએ ડીઈઓ કચેરી ખાતે હંગામો કર્યો હતો અને સ્કૂલ બંધ કરવાની ઉગ્ર માંગણી કરી હતી.
ડીઈઓ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે ક્રાઈમ બ્રાન્ચની તપાસ મુજબ શાળાના આચાર્ય, સિક્યોરિટી ગાર્ડ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવતા તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે તાકીદે તેમને બરતરફ કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે.
બીજી બાજુ, આ બનાવ બાદ વાલીઓમાં ભય અને આક્રોશ વધી રહ્યો છે. અનેક વાલીઓએ પોતાના બાળકોના પ્રવેશ રદ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ડીઈઓ દ્વારા સ્કૂલમાં ચાર અધિકારીઓની નિમણૂક કરીને વાલીઓને એલસી, ફી રીફંડ અને ટ્રાન્સફર બાબતે સહાય પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં લગભગ 70 જેટલા વાલીઓએ બાળકોને અન્ય શાળામાં ટ્રાન્સફર કરવાની માંગણી કરી છે, જ્યારે 25 જેટલા વાલીઓએ જ વિરોધરૂપે ડીઈઓ કચેરીમાં સત્તાવાર નિવેદન આપ્યા છે. હાલ સ્કૂલમાં ધો.1 થી 12 સુધી બંને બોર્ડ સાથે 9 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભણતા હોવા છતાં આ ઘટનાએ સમગ્ર સંચાલન પર પ્રશ્નચિન્હ ઉભું કર્યું છે.
આ પણ વાંચો
- Gujarat Police: લોક રક્ષક કેડર ભરતી, LRD દસ્તાવેજ ચકાસણી માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર
- Supreme Court Case: સમય રૈનાને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત, દિવ્યાંગો પરની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ તેમની સામે દાખલ કરાયેલી તમામ FIR રદ
- Rajkot: શ્રાવણ મહિનામાં કોમી એક્તાની અનોખી ઝલક, મુસ્લિમ શ્રદ્ધાળુઓ છેલ્લા 35 વર્ષથી મહાદેવના દર્શન માટે ચાલીને જાય છે
- Ahmedabadના બોપલ-આંબલી-ઘુમા-શેલામાં પાણી ભરાવાની સમસ્યા, અમિત શાહે કાયમી ઉકેલ માટે લખ્યો પત્ર
- Mahisagar: વરસાદી પાણીથી નબળી પડેલી માટીની દિવાલ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ 2 બાળકોનાં મોત




