AAP News: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારોની મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ મિશન 2027 અંતર્ગત, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બનાવવાના લક્ષ્ય સાથે અને આગામી ચૂંટણીઓને લક્ષમાં રાખીને આજે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાના સૂચન અનુસાર અંજાર શહેર પ્રમુખ, બાપુનગર વિધાનસભા લઘુમતી વિંગના હોદ્દેદારો, અમદાવાદ પૂર્વ ગોમતીપુર વોર્ડના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી. સાથે સાથે આણંદ યુથ વિંગ પ્રમુખ, ભિલોડા વિધાનસભા ઇન્ચાર્જ, સિધ્ધપુર વિધાનસભા ઇન્ચાર્જ અને ઉપલેટા તાલુકા પ્રમુખની સાથે સાથે અબડાસા તાલુકા પ્રેસિડેન્ટ, અબડાસા તાલુકા જનરલ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી.

આમ આદમી પાર્ટી(AAP) હવે ગુજરાતમાં જોરશોરથી આગળ વધી રહી છે. સંગઠન સતત મજબૂત બની રહ્યું છે અને પાર્ટી આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. એક નવી રાજકીય રણનીતિ, વિચારધારા સાથે લોકોના હક્ક માટે લડત લડનાર આમ આદમી પાર્ટી આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય હાંસલ કરશે ગુજરાતના લોકોને પણ વિશ્વાસ છે. નવનિયુક્ત તમામ સાથીઓને પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને આમ આદમી પાર્ટી પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને સફળતાની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.