Baroda: એમ.એસ. યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરની પસંદગી અંગે ચાલી રહેલી આતુરતાનો હવે અંત આવ્યો છે. યુનિવર્સિટીના અઢારમા વાઈસ ચાન્સેલર તરીકે મુંબઈના ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર બી.એમ. ભનાગેની પાંચ વર્ષ માટે નિમણૂક જાહેર થઈ છે.
સરકારની જાહેરાત મુજબ પ્રો. ભનાગે જે દિવસથી ચાર્જ સંભાળશે તે દિવસથી તેમની પાંચ વર્ષની મુદત લાગુ પડશે. આજે બપોરે નામ જાહેર થતા જ શૈક્ષણિક જગતમાં આશ્ચર્ય ફેલાયું હતું કારણ કે તેમનું નામ ચર્ચાસૂચિમાં નહોતું.
પ્રો. ભનાગેએ 1996માં યુનિવર્સિટી ઓફ પૂણેમાંથી પીએચડી પૂર્ણ કરી હતી અને 2003થી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં સેવા આપી રહ્યા છે. તેમના સંશોધન ક્ષેત્રમાં હોમોજિનિયસ કેટાલિસ્ટ, રિએક્શન કાઈનેટિક્સ અને મિકેનિઝમનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં તેઓ ઓથર કે કો-ઓથર તરીકે 35 સંશોધન પેપર પ્રકાશિત કરી ચૂક્યા છે તેમજ 19 જેટલા પેટન્ટ તેમના નામે છે.
હાલ તેઓ ક્યારે ચાર્જ સંભાળશે તે સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે, ડો. શ્રીવાસ્તવના રાજીનામા બાદ સાત મહિનાથી આ પદ ખાલી પડ્યું હતું. વિલંબને કારણે સરકારની ટીકા થતી હતી, પરંતુ અચાનક નામ જાહેર કરીને સરકારે અટકળોનો અંત લાવ્યો છે.
આ પણ વાંચો
- 440 પરિવારો લાંબા સમયથી નોકરીની રાહ જોઈને બેઠા છે, પ્રશાસન તાત્કાલિક અસરથી યોગ્ય નિર્ણય લે: Kayanat Ansari Aath AAP
- Horoscope: કેવો રહેશે 3 ડિસેમ્બરનો દિવસ, જાણો મેષથી મીન રાશિ સુધીનું રાશિફળ
- Rahul Roy : 90ના દાયકાનો સુપરસ્ટાર હવે લગ્નો અને પાર્ટીઓમાં પૈસા માટે ગીતો ગાઈ રહ્યો છે!
- Pakistan એ શ્રીલંકાના નામે એક નાપાક કૃત્ય કર્યું, ભારતે યોગ્ય જવાબ આપ્યો અને આ કહ્યું
- ભારતે રેકોર્ડ બનાવ્યો, DRDO એ સ્વદેશી પાઇલટ એસ્કેપ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું





