Gujarat News: ગુજરાતના નર્મદા જિલ્લાની એક કોર્ટે ગુજરાતના AAP ધારાસભ્ય ચતુર વસાવાની હત્યાના પ્રયાસના કેસમાં નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. શુક્રવારે કોર્ટે ચતુર વસાવાની જામીન અરજી પર 14 જુલાઈ સુધી પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. વસાવાને તાલુકા પંચાયત અધિકારીની હત્યાના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
એડિશનલ સેશન્સ જજ એ.વી. હિરપરાએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વસાવાની જામીન અરજી પર નિર્ણય અનામત રાખ્યો હતો. રાજ્ય સરકારે તેમની અરજીનો વિરોધ કર્યો હતો.
વસાવાના વકીલ સુરેશ જોશીએ કોર્ટમાં દલીલ કરી હતી કે નર્મદા જિલ્લામાં અનુસૂચિત જનજાતિ માટે અનામત ડેડિયાપાડા મતવિસ્તાર હેઠળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRમાં તેમના અસીલ પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે અને રાજકીય દુશ્મનાવટને કારણે લગાવવામાં આવ્યા છે. AAP ધારાસભ્ય હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે.
જોશીએ જણાવ્યું હતું કે, કોર્ટે સોમવાર સુધી પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે વસાવાની હત્યાના પ્રયાસના આરોપમાં 5 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. વસાવ પર નર્મદાના ડેડિયાપાડામાં તાલુકા પંચાયત પ્રમુખ પર હુમલો કરવાનો આરોપ છે.