Isudan Gadhvi On BJP: ભાજપની અણઆવડતને કારણે છેલ્લા ત્રણ ચાર દિવસથી સુરત પૂરને કારણે બાનમાં મૂકાયું છે. હજુ પણ ઘણે ઠેકાણેથી પાણી ઓસર્યા નથી અને લોકો ખુબ જ હાલાકી ભોગવી રહ્યાં છે. બાળકોને શાળાએ જવામાં અને કર્મચારીઓ તથા વેપારીઓને પોતાના નોકરી ધંધામાં જવા માટે હાલ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને સરકાર અને તંત્ર તરફથી તાત્કાલિક પાણી નીકળવા માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ સંજોગોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi સુરત દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી. ઈસુદાન ગઢવીની સાથે પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુક, વિપક્ષ નેતા પાયલ સાકરિયા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, પદાધિકારીઓ, મહિલા સંગઠન અને કાર્યકર્તાઓએ સુરત શહેરના સણીયા હેમાદ પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી.
આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમે ગતરોજ દિલ્હીમાં હતા ત્યારે અરવિંદ કેજરીવાલ જઈએ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે સુરત ડૂબી રહ્યું છે. સુરતમાં પૂરના કારણે સ્થિતિ વણસી છે, અમે માટે અમે હાલગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. મળતીયાઓના ટીપી પ્લાન માટે તંત્રએ ખાડીમાં જતા પાણીના વહેણને બદલવાની કોશિશ કરી છે જેના કારણે આજે અહીંયા પૂરની સ્થિતિ પેદા થાય છે. અહીંયા દર વર્ષે આ રીતની સ્થિતિ પેદા થાય છે, તો હવે સવાલ એ છે કે આ ગરીબો ક્યાં જશે? ફક્ત મતદાનના દિવસે સરકારને આ ગરીબો યાદ આવે છે. આ પૂર કુદરતી પુર નથી પરંતુ માનવસર્જિત પૂર છે. બીજું એક કારણ એ પણ છે કે ભાજપ આઠ મહાનગરપાલિકાના પોતાના કોર્પોરેટરો પાસેથી વરસે 400 કરોડનું ફંડ ઉઘરાવે છે. હવે આ કોન્ટ્રાક્ટરો ભાજપને ફંડ આપશે તો પછી કામ કઈ રીતે કરશે? અને આ લોકો પોતાના મળતીયાઓ માટે ટીપી ફેરવે છે. જ્યાં પાણીના નિકાલની જગ્યા છે ત્યાં આ લોકો દબાણ કરી રહ્યા છે.
હું મંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માંગીશ કે આ જગ્યા પર તમે આવીને એક દિવસ રહો, અહીંયા ઊભું રહેવાય તેવી પણ પરિસ્થિતિ નથી. સુરતમાં મંત્રીઓના ઘરોના વિસ્તારમાં તો કોઈ તકલીફ નથી ત્યાં તો કોઈ વરસાદનું પાણી નથી. પરંતુ તે જનતા પાસેથી ટેક્સ લેવામાં આવે છે એ જનતાને આજે પૂરની પરિસ્થિતિમાં જીવન જીવવું પડે છે. આજે અમેરિકા અને જાપાન જેવા દેશો ક્યાંના ક્યાં પહોંચી ગયા અને આજે આપણા દેશમાં આપણી પબ્લિકની હાલત કેટલી ખરાબ છે. મુખ્યમંત્રી સમક્ષ અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે સુરતના અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજની જાહેરાત કરે. અમારી એ પણ માંગ છે કે મુખ્યમંત્રી પોતે અહીંયા આવીને અહીંના લોકોને ગેરંટી આપે કે આ પૂરની પરિસ્થિતિનો કાયમી અંત લાવવામાં આવશે.
હું જનતાને એક જ વાત કહેવા માંગીશ કે ભાજપની એક જ દવા છે, જો વિસાવદરની જેમ ભાજપને સુરત મહાનગરપાલિકાની છ મહિના બાદ આવતી ચૂંટણીમાં જાકારો દેવામાં આવે તો આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં આવીને આવી તમામ સમસ્યાઓનું સમાધાન કરી દેશે. ભાજપ પાંચ વર્ષ સુધી લૂંટશે અને છેલ્લા એક વર્ષમાં અહીંયા પૈસાની રેલમછેલ કરીને ચૂંટણી જીતવાની કોશિશ કરશે. આ વિસ્તારમાં ગરીબો વંચીતો શોષિતો પીડિત છે, તો સરકાર સમક્ષ અમારી માંગ છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને નેતાઓ તથા કાર્યકર્તાઓ સતત આ વિસ્તારમાં પોતાની સેવા આપી રહ્યા છે અને હાલ દવાની પણ વ્યવસ્થા ઊભી કરી છે. તો આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ પર રહીને પોતાની ફરજ નિભાવી રહી છે હવે સરકારની જવાબદારી છે કે સરકાર પણ પોતાની ફરજ નિભાવે.