અમદાવાદ ખાતે થયેલી ભયંકર પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલ દેશ-વિદેશના તથા સ્થાનિક નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગતરોજ સાંજે આમ આદમી પાર્ટી(AAP)ના અમદાવાદ સંગઠન દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલની આગેવાની આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા હતા અને સાથે સાથે સ્થાનિક લોકો પણ આ કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં જોડાયા હતા.

આ કેન્ડલ માર્ચના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી(AAP) ગુજરાત તરફથી ભગવાનને પ્રાર્થના કરવામાં કે અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. સાથે સાથે જે જે લોગો ઘાયલ છે એ તમામ લોકો ઝડપથી સાજા થાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવી હતી. આપણા ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ પર જે દુઃખની આ ઘડી આવી પડી છે તેના કારણે તમામ લોકો વ્યથિત છે પરંતુ હાલ તમામ લોકોએ એકબીજાના સાથે રહીને હિંમત આપવાની છે અને આશા રાખીયે કે ભવિષ્યમાં આવી ઘટના ક્યારેય ન બને.