Gujarat: રાજ્યમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે. કોરોનાની નવી લહેર ચિંતાજનક નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી હોવાનું ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ જણાવી રહ્યાં છે. કુલ કેસની સંખ્યા વઘીને 717 થઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર કોરોનાના 170 કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વઘીને 717 થઈ ગઈ છે. જેમાંથી આજે 68 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે 694 કેસના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે. 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં 3 ગણો વધારો થયો છે. રાજકોટમાં કોરોનાના નવ, સુરતમાં આઠ કેસ નોંધાયા છે. ભાવનગર-મહેસાણામાં નવા છ-છ કેસ નોંધાતા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 5 અને સોલા સિવિલ હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 8 માસની બાળકી ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે. સોલા સિવિલ હોસ્પિટલના 5 તબીબો કોવિડ સંક્રમિત થયા છે. તમામ તબીબો હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.