Ahmedabad Crime: ગુજરાતના અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એકતરફી પ્રેમને કારણે એક પરિણીત મહિલાને તેના જ ઘરમાં ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આરોપી છેલ્લા ઘણા વર્ષોથી મહિલાને હેરાન કરી રહ્યો હતો, ત્યારબાદ મહિલાના પતિએ પોલીસમાં ફરિયાદ કરવી અને તેનાથી છૂટકારો મેળવવા માટે ઘણી વખત ઘર બદલવું જેવા અનેક કાર્યો કર્યા, જોકે આ પછી પણ આરોપી વ્યક્તિએ મહિલાનો પીછો કરવાનું બંધ ન કર્યું. પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ અંકિતા પ્રજાપતિ (35) છે, જે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં હીરાબા સ્કૂલ પાસે આવેલી હરભોલાનાથ પાર્ક સોસાયટીમાં તેના પતિ ચંદ્રકાંત પ્રજાપતિ, બે બાળકો અને સાસુ સાથે રહેતી હતી. જ્યારે આરોપીની ઓળખ અશોક પટેલ તરીકે થઈ છે.
મંગળવારે રાત્રે લગભગ 8:15 વાગ્યે પાડોશીનો ફોન આવતાં મહિલાના પતિને ઘટનાની જાણ થઈ. તેણે કહ્યું કે પટેલે અંકિતા પર ચાકુ માર્યું છે. દરમિયાન, તેની પુત્રીએ ફોન પર કહ્યું, ‘પપ્પા, જલ્દી ઘરે આવો. પટેલે મમ્મી પર ચાકુ માર્યું છે. મમમ્મી હલતી નથી.’
અહેવાલ મુજબ આરોપી એકતરફી પ્રેમમાં વર્ષોથી મહિલાનો પીછો કરી રહ્યો હતો. આ સાથે તે મહિલાને વાત કરવા માટે ધમકી પણ આપતો હતો. બીજી તરફ મહિલાના પતિએ પોલીસને જણાવ્યું કે આરોપી 2017 માં અંકિતાના સંપર્કમાં આવ્યો હતો. જ્યારે તે અમારા એપાર્ટમેન્ટની નજીક રહેતો હતો. આ પછી, તેની અમારા ઘરે મુલાકાતો વધી ગઈ. ઘણી વખત તે તેની બાઇક સર્વિસ કરાવવાના બહાને મારા ગેરેજમાં પણ આવતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન થોડા સમય પછી ચંદ્રકાંતને અશોક અને અંકિતા વચ્ચે ફોન પર થયેલી વાતચીતની જાણ થઈ. ત્યારબાદ અંકિતાએ જણાવ્યું કે પટેલે તેને વાત કરવા માટે દબાણ કર્યું હતું, જ્યારે તેણીએ વાત કરવાનો ઇનકાર કર્યો. ત્યારે તેણે બાળકોને નુકસાન પહોંચાડવાની ધમકી આપવાનું શરૂ કર્યું. જેના કારણે તેણીને વાત કરવા માટે દબાણ કરવામાં આવ્યું. આ બાબતની જાણ થતાં ચંદ્રકાંતે પોલીસમાં અશોક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને ઘર બદલવાનું નક્કી કર્યું.
આ પછી પણ પટેલે અંકિતાનો પીછો કરવાનું બંધ ન કર્યું. પટેલ ઘણીવાર તેમના ઘરની આસપાસ ફરતો રહેતો હતો અને અંકિતા પર મળવા માટે દબાણ કરતો રહેતો હતો. આ માટે તે બાળકોને નુકસાન પહોંચાડવાની ધમકી આપતો રહેતો હતો. ચંદ્રકાંતના જણાવ્યા મુજબ, તે મહિલાને કહેતો હતો કે જો તું સંપર્કમાં નહીં રહે તો હું તારા બાળકોને મારી નાખીશ.
મૃતકના પતિએ જણાવ્યું કે મંગળવારે સાંજે લગભગ 5.45 વાગ્યે, મને અંકિતાનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે અશોક પટેલ તેમના ઘરની આસપાસ ફરતો હતો અને તેને બહાર આવવાનું કહેતો હતો. અંકિતાએ તેના પતિને કહ્યું કે તે ખૂબ જ ડરી ગઈ છે અને તે તેની પુત્રી સાથે ગેરેજમાં છુપાઈ જવાની છે. જોકે, ચંદ્રકાંતે તેને શાંત રહેવા કહ્યું અને જલ્દી ઘરે આવવાનું વચન આપ્યું. પરંતુ તે ઘરે પહોંચ્યો નહીં, ત્યારબાદ રાત્રે લગભગ 8.15 વાગ્યે તેને એક પાડોશીનો ફોન આવ્યો, જેણે તેને આ ઘટના વિશે જણાવ્યું.
જ્યારે ચંદ્રકાંત ત્યાં પહોંચ્યો, ત્યારે તેણે લિવિંગ રૂમ પાસે અંકિતા લોહીથી લથપથ હાલતમાં મળી. તેના હાથ અને પેટ પર છરીના ઊંડા ઘા હતા. તેનું ટી-શર્ટ ફાટેલું હતું અને આંતરિક અવયવો બહાર હતા. યુવકની માતાએ પુષ્ટિ આપી કે પટેલ છરી લઈને ઘરમાં ઘૂસી ગયો હતો અને રસોડામાં રહેલી અંકિતા પર હુમલો કર્યો હતો. મહિલાએ કહ્યું કે તેણીએ ચીસો પાડી અને તેને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બીજા પુરુષ સાથે બાઇક પર ભાગી ગયો.
આ દરમિયાન પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ. થોડા સમય પછી અંકિતાને મૃત જાહેર કરવામાં આવી. FIRમાં નોંધાયેલા નિવેદનમાં ચંદ્રકાંતે કહ્યું ‘ઘટના પછી અશોક અને તેનો સાથી પણ મારી દુકાન પાસેથી બાઇક પર પસાર થયા. અને મને જોતા રહ્યા.’ ચંદ્રકાંતના નિવેદન અને સાક્ષીઓના નિવેદનોના આધારે રામોલ પોલીસે અશોક પટેલ અને તેના અજાણ્યા સાથી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે અને તેમની શોધ શરૂ કરી છે.