Ahmedabad : સ્વચ્છ શહેરની સાથે શહેરમાં આવેલા તળાવોને પણ સ્વચ્છ રાખવાની જવાબદારી મ્યુનિ. તંત્રની છે. પણ મ્યુનિ.ના અધિકારીઓને આ જવાબદારીનું ભારણ લાગી આવતું હોય તેમ બેદરકારી ભરી કામગીરીની ફરિયાદ રોજબરોજ સામે આવતી હોય છે.
તંત્ર દ્વારા બજેટમાં શહેરના અનેક તળાવોનું બ્યુટીફિકેશન કરવાની વાતો કરવામાં આવી હતી. ત્યારે બ્યુટીફિકેશન તો દૂર ખુદ તંત્ર દ્વારા તળાવની મુળ સ્થિતિને પણ જાળવી ન રાખી ગંદકી ફેલાવાનુ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
લાભાંમાં આવેલા તળાવમાં તંત્ર દ્વારા ગટરના પાણીનું શુદ્ધિકરણ કર્યા વિના જ ગટરમાં છોડી દેવાતું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી છે. જેમાં તળાવની આસપાસ આવેલી 10થી વધુ સોસાયટીના રહીશોને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.
શહેરના લાંભા વિસ્તારમાં તંત્રની કામગીરીમાં બેદરકારીથી સ્થાનિકોને ભારે હલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં તળાવમાં ગટરનું ગંદા પાણીનું સુદ્ધિકરણ કર્યા વીના જ બારોબાર છોડી દેવાય છે. જેના કારણે તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે. અને દુર્ગધયુક્ત પાણી છોડાતા આસપાસના વિસ્તારના લોકોને બારી બારણા બંધ રાખવાની ફરજ પડી છે.
તંત્ર દ્વારા પાઈપલાઈનની કામગીરી કરાઈ રહી છે
લાંભામાં આવેલા ઈન્દિરા નગર, લક્ષ્મીપુરા ગામ, સુરતીપુરા તથા લાંભા મંદિર સહિતના વિસ્તારોના ગટરના પાણી ફિલ્ટર કર્યા વિના જ તળાવમાં છોડી દેવાતા હોવાનું સ્થાનિક જાગૃત નાગરિકે જણાવ્યું હતું. જેના કારણે લોકોના આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ તંત્ર દ્વારા પાઈપલાઈનની કામગીરી કરવામાં આવી છે. પણ હજુ સુધી નવી પાઈપલાઈનના જોડાણ આપવામાં આવ્યા નથી. જેના કારણે તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
તંત્ર ચોમાસા પહેલા તળાવની સફાઈ કરાવે : સ્થાનિકો
સ્થાનિકોની માંગ છે કે, તંત્ર દ્વારા તાકીદે પાઈપલાઈનના જોડાણ આપીને તળાવમાં છોડાતું ગંદું પાણી બંધ કરવામાં આવે અને બ્યુટીફિકેશનની નેમ લઈને બેઠેલા તંત્રના અધિકારીઓ હવે બ્યુટીફિકેશનનું સપનું સાર્થક કરી ચોમાસા પહેલા તળાવની સફાઈ કરાવે જેથી ચોમાસા દરમિયાન નવા નીર તળાવમાં ભરી શકાય.
આ પણ વાંચો..
- bangladesh: શું બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન રાજીનામું આપશે? શેખ હસીનાના વાપસી અંગે અટકળો વધી રહી છે
- cjp: દિલ્હી પોલીસ હિંસાના ગુનેગારોની ઓળખ કરી રહી છે; શું તોફાનીઓના પાસપોર્ટ રદ કરવામાં આવશે?
- Trump: સાઉદી-અમેરિકા પરમાણુ કરારમાં ઇઝરાયલનો પ્રવેશ: ટ્રમ્પે કઈ નવી શરતો મૂકી?
- MEA: ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ: વિદેશ મંત્રાલય કહે છે – કાશ્મીર મુદ્દા પર બડબડ કરવાનું બંધ કરો; સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે
- salman khan: સલમાન વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવાની અપીલ કરે છે; સોનમ વાંગચુકને પૂછે છે, “શું હું ઘરે બનાવેલો ખોરાક મોકલીશ?”




