Ahmedabad : દાણીલીમડામાં શાકભાજીનો હોલસેલમાં ધંધો કરતા વેપારીના ત્યાં બોગસ પત્રકાર અને કોર્પોરેશનના બનાવટી અધિકારી બનીને બે શખ્સો આવ્યા અને ગ્રાહકો જોડે તોલમાપમાં ઠગાઈ આચરો છો કહીને વીડિયોગ્રાફી કરી હતી.
બાદમાં વેપારીને ફોન કરીને દમદાટી આપીને રૂ.40 હજારની ખંડણી માંગી હતી. આ અંગે વેપારીએ બંને શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
નાના ચિલોડામાં રહેતા નયનકુમાર પટેલ દાણીલીમડા સુએજ ફાર્મ પાસે શાકભાજીનું ગોડાઉન ધરાવી ધંધો કરે છે. જેમાં તેઓ ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથે ગુવાહાટી ફ્રવા ગયા હતા. ગત 21મેં એ વેપારી ગુવાહાટીમાં પરિવાર સાથે ફરી રહ્યા હતા. ત્યારે તેમના ગોડાઉનમાં કામ કરતા કારીગરનો તેમની પર ફોન આવ્યો અને કહ્યું કે બપોરે ગોડાઉનમાં બે શખ્સો આવ્યો હતા.
જેમાંથી એક પોતે ખાનગી મિડીયાનો કર્મચારી ચેતન રાજપૂત અને બીજો AMCના અધિકારી હોવાનું કહીને ગોડાઉનમાં વિડીયોગ્રાફી ઉતારવા લાગ્યા હતા. અને ગ્રાહકો સાથે તોલમાપમાં છેતરપિંડી આચરો છો ગોડાઉનને સીલ કરાવી દેવાની ધમકી આપીને જતા રહ્યા હતા. ત્યારબાદ 22મેં એ ગોડાઉન માલિકને ચેતન રાજપુતે ફોન કર્યો હતો અને ધમકી આપી હતી કે ગ્રાહકો સાથે તોલમાપમાં ઠગાઈ આચરો છો આ બધુ મીડિયામાં છપાઈ દઈશ અને ગોડાઉનને સીલ મરાવી દઈશ.
જો આ બધી માથાકૂટમાં પડવુ ના હોય તો રૂ.40 હજાર મોકલી આપો કહીને કથિત પત્રકાર અને બનાવટી AMCના અધિકારીએ વેપારીને ધમકાવ્યા અને ખંડણી માંગી હતી. આ અંગે વેપારીએ બંને શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
આ પણ વાંચો..
- Kangna ranaut: તમે તેમાં મસાલો ઉમેર્યો છે…’, કંગના રનૌતને માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો
- Asia cup 2025: ભારત-પાકિસ્તાન મેચની ૫૦% ટિકિટ વેચાઈ નથી, આ ૨ ખેલાડીઓના કારણે લોકો ટીમ ઈન્ડિયાની મેચ જોવા નથી આવી રહ્યા, ચોંકાવનારો દાવો
- Pakistan: પૂરને કારણે 21 લાખ પાકિસ્તાનીઓ રસ્તા પર, અત્યાર સુધીમાં 900 લોકોના મોત, ક્લાઇમેટ ઇમરજન્સી લાદવામાં આવી
- Surat: સુરત સાયબર ક્રાઈમ પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ કર્યો, વધુ બે એજન્ટોની ધરપકડ કરી
- Ahmedabad: નેપાળમાં ફસાયેલા 37 અમદાવાદીઓ મોટી મુશ્કેલી વચ્ચે સુરક્ષિત પરત ફર્યા, મિત્રો અને પરિવારજનોએ કર્યું ભવ્ય સ્વાગત