Gujarat : બાલિઠા અને મોરાઈ વિસ્તારમાં આજે સવારે મહાનગર પાલિકાએ અવૈધ રીતે ચાલતા ભંગાર (કબાડ)ના ગોડાઉનો સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને ડિમોલિશન ડ્રાઈવ ચલાવતાં આ ગોડાઉનો પર બુલડોઝર ફરવવામાં આવ્યા હતા.

પાલિકાની અનેકવારની ચેતવણીઓ છતાં જ્યારે ગોડાઉન માલિકોએ નિયમોનું પાલન નહોતું કર્યું, ત્યારે પાલિકા દ્વારા કડક હાથે પગલાં લઈ આ અવૈધ ઢાંચારૂપ ગોડાઉનોને ધરાશાયી કર્યા.
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે હાજર રાખવામાં આવ્યું હતું. અધિકારીઓની હાજરીમાં બુલડોઝર દ્વારા એક પછી એક અનેક ગોડાઉન ધરાશાયી કરવામાં આવ્યા.

સ્થાનિક લોકો દ્વારા આ પગલાની સરાહના કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ ગોડાઉનોએ વિસ્તારને ગંદકી, આગજની અને અસુરક્ષાનું કેન્દ્ર બનાવી દીધું હતું.

મહાનગર પાલિકા અધિકારીઓએ જણાવ્યું કે આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને કોઈપણ અવૈધ બંધાણું માટે છૂટ આપવામાં આવશે નહીં.
આ પણ વાંચો..
- મમતા બેનર્જીના ગઢમાં ઘૂસવાની ભાજપની તૈયારી, Gujaratથી 40,000 મતદારોને મફતમાં પશ્ચિમ બંગાળ મોકલવામાં આવશે
- Surat: 6 વર્ષની બાળકીનું અપહરણ બાદ આરોપી તેના પર બળાત્કાર કરવાનો કર્યો પ્રયાસ; પોલીસે દરમિયાનગીરી કરીને ટાળી દીધી ઘટના
- ઉમરેઠ પેટાચૂંટણી માટે કોંગ્રેસે Bhriguraj Singh Chauhanને મેદાનમાં ઉતાર્યા
- ગુજરાતમાં 60થી વધુ FIR કરી AAP નેતાઓને ટાર્ગેટ કરે છે BJP, Gopal Italiaના આકરા પ્રહારો
- ઈરાન-ઈઝરાયલ તણાવ છતાં Pakistanમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો, જાણો કિંમત





