India-Pakistan Ceasefire : ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલી લશ્કરી અથડામણ બાદ, પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ફરીથી ઝેર ઓક્યું છે. અનાદોલુ એજન્સી અને પીટીવી ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાન ક્યારેય ભારતીય શાસન સામે ઝૂકશે નહીં અને તેની સાર્વભૌમત્વની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.
પાકિસ્તાની લેફ્ટનન્ટ જનરલ ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “ભારત અમેરિકા નથી અને પાકિસ્તાન અફઘાનિસ્તાન નથી. ભારત ઇઝરાયલ નથી અને પાકિસ્તાન પેલેસ્ટાઇન નથી. પાકિસ્તાનને ક્યારેય રોકી શકાતું નથી કે દબાણ કરી શકાતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે ભારતમાં મુસ્લિમો અને શીખો પર અત્યાચાર થઈ રહ્યો છે, જે ત્યાં નફરત અને ઉગ્રવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે.
શાંતિપૂર્ણ વાતચીત, પણ મજબૂત પ્રતિભાવ
તાજેતરમાં ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરના જવાબમાં, પાકિસ્તાને પરિપક્વતા અને જવાબદારી સાથે જવાબ આપવાનો દાવો કર્યો હતો. જોકે, તે જે કહે છે તે ખોટું છે. તેમણે પૂંછ અને સરહદ પર સ્થિત અન્ય વિસ્તારો પર આડેધડ ગોળીઓ અને મોર્ટાર છોડ્યા, જેના કારણે ડઝનબંધ નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા.
પાકિસ્તાને ફરી મોટું જૂઠાણું
ડીજી આઈએસપીઆરના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં અમેરિકાએ હસ્તક્ષેપ કરવો પડ્યો. તેમણે દાવો કર્યો હતો કે ભારતીય સંરક્ષણ મંત્રાલયે વ્યક્તિગત રીતે યુદ્ધવિરામની વિનંતી કરી હતી. જોકે, પાકિસ્તાનનું આ નિવેદન પણ ખોટું છે. લેફ્ટનન્ટ જનરલ ચૌધરીએ પહેલગામ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાન પર ભારત દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા અને કહ્યું, “ભારત કોઈપણ તપાસ અને પુરાવા વિના આરોપો લગાવી રહ્યું છે. અમારી સરકારે સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ પુરાવા હોય તો તે શેર કરવા જોઈએ.” જોકે, પાકિસ્તાન આ કિસ્સામાં પણ પોકળ દાવા કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પહેલગામ હુમલો કરનારા 4 લોકોમાંથી 2 પાકિસ્તાનના હતા.
ભારતે ઓપરેશન ‘સિંદૂર’ પાકિસ્તાનનું ‘બન્યાનમ માર્સો’ કર્યું
તેમણે કહ્યું કે ભારતે 6-10 મે દરમિયાન પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા અને મિસાઈલ હુમલા કર્યા, જેના જવાબમાં પાકિસ્તાને “ઓપરેશન બનયનમ માર્સો” હેઠળ જવાબી કાર્યવાહી કરી. તેમણે કહ્યું કે, આપણા દળો અને રાષ્ટ્ર એક અતૂટ દિવાલની જેમ ઉભા છે, પરંતુ આ સંદર્ભમાં પણ પાકિસ્તાને હજુ સુધી કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી, જ્યારે ભારતીય સેનાએ દરેક બાબતના પુરાવા રજૂ કર્યા છે.
આ પણ વાંચો..
- Ahmedabad: મહાનગરપાલિકાના ઝોન વાઇઝ પાર્કિંગ બની કારગર, ટ્રાફિક સમસ્યામાંથી મળી રાહત
- Gujarat: કોંગ્રેસના નેતાઓ પર કોર્ટનો ચુકાદો, સોશિયલ મીડિયા પરથી મોદી અને અદાણીના ડીપ ફેક વીડિયો દૂર કરવાનો આદેશ
- વાપીના લોકોને શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું, તો શું હેરાન થવા ભાજપને મત આપે?: Isudan Gadhvi
- આણંદ જિલ્લાના તારાપુરના રિંઝામાં 110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર બ્રિજનું નિર્માણ કરાશે: CM Bhupendra Patel
- કન્સ્ટ્રક્શનમાં ‘મેડ ઇન ઇન્ડિયા’નો સૂર અને ઇમારતોમાં ભારતની વિરાસત તેમજ સંસ્કારો ઝળકાવીએ – CM Bhupendra Patel





