Kutch : લખપત તાલુકાના દયાપર ગામમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાડોશી દેશ પર કરેલા સફળ પ્રત્યાઘાતના સમર્થનમાં આ રેલી યોજાઈ હતીતાલુકા પંચાયત કચેરીથી શરૂ થયેલી આ રેલી બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય બજાર થઈને આઝાદ ચોક સુધી પહોંચી. રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર અને ગીતો ગુંજ્યા હતા.
રેલીમાં તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને અન્ય આગેવાનો જોડાયા. દયાપર પોલીસ મથકના પી.આઇ. ડી.બી. જાડેજા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. આઝાદ ચોક ખાતે યોજાયેલી સભામાં આગેવાનોએ ભારતીય સેનાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે દુશ્મન દેશની હરકતનો ભારતીય જવાનોએ મક્કમ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો..
- vaibhav suryavanshi: વસીમ અકરમે PSL સામે અરીસો ધર્યો: વૈભવનું ઉદાહરણ આપીને પૂછ્યું – ૧૦ વર્ષમાં સૂર્યવંશી જેવા કેટલા બેટ્સમેન તૈયાર થયા?
- xi jinping: પીએમ મોદીને મળવા શી જિનપિંગ નવી દિલ્હી પહોંચ્યા; સાત વર્ષ પછીની આ મુલાકાત શા માટે મહત્વપૂર્ણ છે?
- ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડો અને મનરેગા યોજના હેઠળ રોજગારીના દિવસોમાં વધારો કરો : Isudan Gadhvi
- વંદે માતરમના અપમાન મામલે કોંગ્રેસના ધારાસભ્ય Imran Khedawalaની મુશ્કેલીઓ વધી; સ્પીકરે વિશેષાધિકાર સમિતિને આપ્યો તપાસનો આદેશ
- Ahmedabadના લાંભામાં ખાદ્ય તેલના રિપેકિંગ યુનિટ પર AMCની કાર્યવાહી, 3.93 લાખ રૂપિયાથી વધુનું તેલ જપ્ત




