Jamnagar : અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત રાજકોટ રેલવે ડિવિઝન હેઠળના જામનગર જિલ્લાના હાપા- કાનાલૂસ અને જામવણથલી સહિતના કુલ છ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ ની કામગીરી પૂર્ણ થઈ છે” ત્યારે આગામી 22મી તારીખે સવારે 9.30 વાગ્યે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વીડિયો કોનફરન્સના માધ્યમથી લોકાર્પણ નો કાર્યક્રમ યોજાયો છે.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ રેલવે ડિવિઝનના કુલ સત્તર રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ થઈ રહ્યો છે. જે પૈકી હાલમાં કુલ છ રેલવે સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને મીઠાપુર, તેમજ જામનગર જિલ્લાના કાનાલુસ, જામવણથલી અને હાપા, ઉપરાંત મોરબીનો સમાવેશ થાય છે.

જામનગર જિલ્લાના રેલવે સ્ટેશનોની વાત કરવામાં આવે તો જામનગર નજીકના હાપા રેલવે સ્ટેશન, કાનાલુસ રેલવે સ્ટેશન અને ખાસ કરીને જામવણથલી રેલવે સ્ટેશન ના પુનઃ વિકાસની કામગીરી રેલ્વે તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે, જેના લોકાર્પણ થવા જઈ રહ્યા છે.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા 1300થી વધુ સ્ટેશનોમાં જે 103 સ્ટેશન હમણાં જ બનીને તૈયાર થયા છે, આ સ્ટેશનો પર ભવ્ય પ્રવેશદ્વાર, આકર્ષક ફસાડ, હાઈ માસ્ટ લાઈટિંગ, આધુનિક પ્રતિક્ષાલય, ટિકિટ કાઉન્ટર, મોર્ડન ટોયલેટ અને દિવ્યાંગજનો માટે સુગમ રેમ્પ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે.

પ્લેટફોર્મ પર શેલ્ટર, કોચ ઈન્ડિકેશન સિસ્ટમ અને માહિતી માટે ડિજિટલ ડિસ્પ્લે લગાવવામાં આવ્યા છે. તમામ સુવિધાઓને દિવ્યાંગજન અનુકૂળ બનાવવામાં આવી છે. દરેક સ્ટેશન પર ગુજરાતની લોકકલા, સંસ્કૃતિ અને પરંપરાઓની ઝલક પણ જોવા મળી રહી છે.

જામ વણથલી રેલવેસ્ટેશન નો એન.એસ.જી.- 5 કેટેગરી માં સમાવેશ

જામનગરથી લગભગ 31 કિલોમીટર દૂર આવેલું જામવણથલી રેલ્વે સ્ટેશન લાંબા સમયથી ગુજરાતના રેલ્વે નેટવર્કમાં એક નાનું પરંતુ મહત્વપૂર્ણ સ્ટોપેજ તરીકે સેવા આપી રહ્યું છે. કૃષિ સમૃદ્ધિ માટે જાણીતા આ વિસ્તારમાં ઊંડે સુધી સમાયેલું આ સ્ટેશન હવે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ તેના વ્યાપક પરિવર્તન પછી એક નવી ઓળખ સાથે ઉભરી આવ્યું છે.

પુનર્વિકાસનું કામ 3 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે, જેને સ્ટેશનની પ્રાદેશિક સુસંગતતા જાળવી રાખીને મુસાફરોની સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓને સુધારવા માટે વિચારપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યું છે.
અગાઉ મર્યાદિત મુસાફરોવાળું એક સાદું સ્ટોપેજ સ્થળ, જામવણથલી રેલ્વે સ્ટેશન, જેને હાલમાં એન.એસ.જી.-૫ કેટેગરીના સ્ટેશન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

હવે એક આધુનિક, સમાવિષ્ટ અને કાર્યક્ષમ પરિવહન કેન્દ્ર તરીકે ફરીથી કલ્પના કરવામાં આવ્યું છે. નવીનીકરણમાં આરામ, પહોંચ અને સૌંદર્ય શાસ્ત્ર પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી તમામ મુસાફરો માટે એક બહેતર અનુભવ સુનિશ્ચિત કરી શકાય.

આ પણ વાંચો..