Ahmedabad : શહેરમાં એક તરફ પાણી માટેની સમસ્યા વિવિધ વિસ્તારોમાં સામે આવી રહી છે. આ વચ્ચે ઉનાળામાં ફરી એકવાર પૂર્વના છેવાડાના વિસ્તારોમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે.
3 જેમાં ચંડોળા અને તેની આગળ આવેલા ગણેશનગર વિસ્તારમાં છેલ્લા થોડાં દિવસોથી પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળી રહેતા ટેન્કર લાવવાની સ્થિતિ ઉભી થઈ રહી છે. આ અંગે સ્થાનિકોએ કોર્પોરેટરને પણ ફરિયાદ કરી છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
જેના કારણે હજારોની સંખ્યામાં લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. બીજી તરફ ચંડોળા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાંથી ડિમોલિશન કરીને હટાવવામાં આવેલા લોકો પણ અહીં આશ્રાય લેવા માટે પહોંચ્યા હોવાની પણ ફરિયાદ સામે આવી રહી છે ત્યારે પાણી માટે લોકોની મુશ્કેલી વધી છે.
તાજેતરમાં ચંડોળા તળાવમાંથી દબાણ હટાવવામાં આવતા તે વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો મોટા પ્રમાણમાં અન્ય સ્થળો પર ગેરકાયદે દબાણ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં ચંડોળા તળાવથી માત્ર ત્રણ કિલોમીટર દુર આવેલા લાંભા વોર્ડના ગણેશનગરમાં મોટા પ્રમાણમાં લોકો પહોંચ્યા છે. જેના કારણે પણ વિસ્તારમાં પાણીની સમસ્યા જોવા મળી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
બીજી તરફ ગણેશનગરના લોકોની ફરિયાદ છેકે, લાંબા સમયથી પીવાના પાણી માટે લોકોએ વલખાં મારવા પડી રહ્યા છે. જેમાં પણ ઉનાળાની સાથે જ પાણીની અછત જોવા મળતી રહે છે. ત્યારે હાલમાં મોટા પ્રમાણમાં લોકોની વસ્તી વધી છે ત્યારે પાણીની પ્રાથમિક સુવિધા આપવામાં તંત્ર સતત નિષ્ફળ જઈ રહ્યું છે.
હાલમાં ઘણાં સમયથી એક દિવસ પછી પાણીનું ટેન્કર મંગાવવું પડી રહ્યું છે. છતાં સ્થાનિક નેતાઓ કે કોઈના દ્વારા તેનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી. તેમજ પાણીની અછત હોવા છતાં પણ કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં પણ આવી રહી નથી. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ માટે તંત્ર જરૂરી પગલાં ભરે તે આવશ્યક છે. ટેન્કર પણ નિયમિત ન આવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોજ પાણી માટે વલખા મારવાની નોબત આવી છે.
આ પણ વાંચો..
- Rekha gupta: હુમલા બાદ સીએમ રેખાનું પહેલું નિવેદન, કહ્યું – આવી ઘટનાઓ જનતાની સેવા કરવાના સંકલ્પને ક્યારેય તોડી શકે નહીં
- India: અમે અમારી ધરતી પરથી અન્ય દેશો વિરુદ્ધ પ્રવૃત્તિઓને મંજૂરી આપતા નથી’, યુનુસ સરકારના આરોપો પર ભારત
- ‘દરેક ભારતીયને એડવાન્સ્ડ એઆઈ ટૂલ્સનું મફત સબ્સ્ક્રિપ્શન મળવું જોઈએ’, Raghav Chaddha એ સંસદમાં માંગણી ઉઠાવી
- રોહિત-વિરાટે નિવૃત્તિ ન લીધી… હોબાળા બાદ ICC ને આ ફેરફાર કરવો પડ્યો
- India and China વચ્ચે LAC પર મોટો વિવાદ ઉકેલાયો, વાંગ યીની ભારત મુલાકાત બાદ ચીનના વિદેશ મંત્રાલયનું નિવેદન