Kutch : રાજ્યના એન.એફ.એસ.એ. રાશનકાર્ડ હેઠળના તમામ લાભાર્થીઓને ફરજિયાત રાશનકાર્ડ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. તા.02-05-2025 સુધીમાં કચ્છના 12.09 એન.એફ.એસ.એ. લાભાર્થીઓમાંથી 75.92 ટકા લાભાર્થીઓએ ઇ-કેવાયસી કરાવ્યું છે
જયારે 24.08 ટકા લાભાર્થીઓના ઇ-કેવાયસી બાકી હોઇ આવા 2.91 લાખ લાભાર્થીઓએ રાશનકાર્ડ ઇ-કેવાયસી કરાવ્યું ન હોઇ તેઓને સસ્તા અનાજની દુકાનેથી મે મહિનાનું અનાજન મળશે નહીં ત્યારે તા.13-05-2025ના રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ-ગાંધીનગરના સંયુક્ત નિયામકે પરિપત્ર બહાર પાડી જણાવ્યું છે કે, ઇ-કેવાયસી થયેલા લાભાર્થીઓ માટે એ.એ.વાય. યોજના હેઠળ કાર્ડદીઠ 5 કિલો ઘઉં, 20 કિલો ફોર્ટીફાઇડ ચોખા, અગ્રતા ધરાવતા કુટુંબો (પીએચએચ) માટે વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, ફોર્ટીફાઇડ ચોખા વ્યક્તિ દીઠ 3 કિલોના પ્રમાણ મુજબ વિનામૂલ્યે આપવા જથ્થો કચ્છમાં ફાળવી દેવાયો છે.
તેમણે જે લોકોના ઇ-કેવાયસી પૂર્ણ થઇ ગયા હોય તેઓને તા.31-05-2025 પહેલા અનાજ વિતરણ કરવા અને ન થયા હોય તેવા લાભાર્થીઓના સ્થળ પર તાત્કાલિક ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવા સસ્તા અનાજના દુકાનદારોને તાકીદ કરી છે. ફાળવાયેલો જથ્થાનું વિતરણ તા.13-05થી શરૂ કરી તા.31-05-2025 પહેલા વિતરીત કરી દેવા પણ જણાવ્યું છે.
આ પણ વાંચો..
- Hamas સંકટ સતત ચાલુ છે, જેમાં તુર્કીના એક જૂથ ડગ્માસે ગાઝામાં આઠ લડવૈયાઓને મારી નાખ્યા છે
- Brahmaputra: બ્રહ્મપુત્ર નદી પર ચીનના બંધના જવાબમાં ભારતનો ₹6.4 લાખ કરોડનો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ
- China: ચીની કમ્યુનિસ્ટ પાર્ટીમાં ટોચથી નીચે સુધી ફેરબદલ થઈ રહ્યો છે, જેમાં નવ સેન્ટ્રલ કમિટી સભ્યોને દૂર કરવામાં આવ્યા
- Lalu Yadav: મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી હજુ સુધી નક્કી થઈ નથી, જ્યારે લાલુ યાદવે 14 નેતાઓને RJD પ્રતીકોનું વિતરણ કર્યું
- Putinના ગુપ્ત જીવન પરના નવા પુસ્તકમાં એક કેલેન્ડર ગર્લ અને ઓલિમ્પિક જિમ્નાસ્ટ સાથેના અફેરનો દાવો કરવામાં આવ્યો