Jamnagar : ગુલાબનગર રેલવે ઓવરબ્રિજ નીચે થી ચાલુ ટ્રેનમાં ફેંકી દઇ વડોદરા ના દિવ્યાંગ યુવાનની હત્યા નીપજવાના આરોપસર પકડાયેલા જામનગરના બે આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા છે.
વડોદરાના વતની હિતેશભાઈ કાનજીભાઈ મિસ્ત્રી (ઉંમર વર્ષ ૩૫)કે જેઓને જામનગર રેલવે સ્ટેશન માંથી હાપા તરફ જવા નીકળેલી ટ્રેન માંથી ફેકી દઈ હત્યા નીપજાવી હતી, જે હત્યાના બનાવ બાદ રેલવે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરીને જામનગરના બે આરોપીઓને રેલ્વેની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરીને બે આરોપીઓને ઝડપ્યા છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતાં હાજી અયુબ કાતીયા (ઉમર વર્ષ ૩૫) તેમજ એકડે એક બાપુની દરગાહ પાસે રહેતો સદામ કાસમભાઈ કાચલીયા (૩૨), કે જે બંને વિકલાંગના ડબ્બામાં ચડ્યા હતા. અને જે ડબ્બામાં મૃત્યુ પામનાર હિતેશભાઈ મિસ્ત્રી સાથે જીભાજોડી કરી તેઓને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધા હતા, અને બનાવ હત્યામાં પટાયો હતો.
જે બાદ જામનગરની અદાલતમાં રજૂ કર્યા હતા જયાં બંનેને એક દિવસના રિમાન્ડ પર લેવા હુકમ થયો છે. પોલીસ દ્વારા તેની ઓળખ પરેડ કરાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો..
- National doctors day: આરોગ્યલક્ષી સેવાઓ હવે એકસાથે ઉપલબ્ધ, મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું કર્યું લોકાર્પણ
- પાકિસ્તાન એક મહિના માટે United Nations સુરક્ષા પરિષદનું પ્રમુખ બન્યું, કહ્યું – પારદર્શક રીતે કામ કરશે
- Delhi Government : હવે આ મહિને દિલ્હીમાં કૃત્રિમ વરસાદ નહીં થાય, જાણો આ પ્રોજેક્ટ કેમ મુલતવી રાખવામાં આવ્યો?
- સરકારે ₹૧.૦૭ લાખ કરોડની ELI યોજનાને મંજૂરી આપી, ૩.૫ કરોડ નોકરીઓ આપવાનું લક્ષ્ય, કર્મચારીઓને ₹૧૫,૦૦૦ ની પ્રોત્સાહન રકમ મળશે
- Cabinet એ રોજગાર-સંલગ્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, 3.5 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવામાં મદદ કરશે