Jamnagar : ગુલાબનગર રેલવે ઓવરબ્રિજ નીચે થી ચાલુ ટ્રેનમાં ફેંકી દઇ વડોદરા ના દિવ્યાંગ યુવાનની હત્યા નીપજવાના આરોપસર પકડાયેલા જામનગરના બે આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા છે.
વડોદરાના વતની હિતેશભાઈ કાનજીભાઈ મિસ્ત્રી (ઉંમર વર્ષ ૩૫)કે જેઓને જામનગર રેલવે સ્ટેશન માંથી હાપા તરફ જવા નીકળેલી ટ્રેન માંથી ફેકી દઈ હત્યા નીપજાવી હતી, જે હત્યાના બનાવ બાદ રેલવે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરીને જામનગરના બે આરોપીઓને રેલ્વેની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરીને બે આરોપીઓને ઝડપ્યા છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતાં હાજી અયુબ કાતીયા (ઉમર વર્ષ ૩૫) તેમજ એકડે એક બાપુની દરગાહ પાસે રહેતો સદામ કાસમભાઈ કાચલીયા (૩૨), કે જે બંને વિકલાંગના ડબ્બામાં ચડ્યા હતા. અને જે ડબ્બામાં મૃત્યુ પામનાર હિતેશભાઈ મિસ્ત્રી સાથે જીભાજોડી કરી તેઓને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધા હતા, અને બનાવ હત્યામાં પટાયો હતો.
જે બાદ જામનગરની અદાલતમાં રજૂ કર્યા હતા જયાં બંનેને એક દિવસના રિમાન્ડ પર લેવા હુકમ થયો છે. પોલીસ દ્વારા તેની ઓળખ પરેડ કરાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો..
- Pm Modi બાંગ્લાદેશ જશે નહીં; લોકસભા સ્પીકર હવે તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે
- Congress: કોંગ્રેસે ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા… શાહે રાહુલને પડકાર ફેંકતા કહ્યું, “કોઈ પણ મંચ પર આવો.”
- Jai somnath: સંજય લીલા ભણસાલી અને કેતન મહેતાએ ‘જય સોમનાથ’ માટે સાથે મળીને કામ કર્યું છે; ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે જાણો
- T20 World Cup 2026: ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ અંગે શ્રીલંકાએ આપ્યું લેટેસ્ટ અપડેટ, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર!
- Surendranagar: રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી





