Jamnagar : ગુલાબનગર રેલવે ઓવરબ્રિજ નીચે થી ચાલુ ટ્રેનમાં ફેંકી દઇ વડોદરા ના દિવ્યાંગ યુવાનની હત્યા નીપજવાના આરોપસર પકડાયેલા જામનગરના બે આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયા છે.
વડોદરાના વતની હિતેશભાઈ કાનજીભાઈ મિસ્ત્રી (ઉંમર વર્ષ ૩૫)કે જેઓને જામનગર રેલવે સ્ટેશન માંથી હાપા તરફ જવા નીકળેલી ટ્રેન માંથી ફેકી દઈ હત્યા નીપજાવી હતી, જે હત્યાના બનાવ બાદ રેલવે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરીને જામનગરના બે આરોપીઓને રેલ્વેની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરીને બે આરોપીઓને ઝડપ્યા છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતાં હાજી અયુબ કાતીયા (ઉમર વર્ષ ૩૫) તેમજ એકડે એક બાપુની દરગાહ પાસે રહેતો સદામ કાસમભાઈ કાચલીયા (૩૨), કે જે બંને વિકલાંગના ડબ્બામાં ચડ્યા હતા. અને જે ડબ્બામાં મૃત્યુ પામનાર હિતેશભાઈ મિસ્ત્રી સાથે જીભાજોડી કરી તેઓને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધા હતા, અને બનાવ હત્યામાં પટાયો હતો.
જે બાદ જામનગરની અદાલતમાં રજૂ કર્યા હતા જયાં બંનેને એક દિવસના રિમાન્ડ પર લેવા હુકમ થયો છે. પોલીસ દ્વારા તેની ઓળખ પરેડ કરાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો..
- asha bhonsle: આશા ભોંસલેના અંતિમ સંસ્કાર રાજકીય રીતે કરવામાં આવ્યા; શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ટાર્સ પહોંચ્યા
- china: સમુદ્રને ઝેર આપવાનો પ્રયાસ? ફિલિપાઇન્સે દક્ષિણ ચીન સમુદ્રમાં ચીની જહાજો પર સાયનાઇડ મળી હોવાનો દાવો કર્યો
- Trump: જો ઈરાની જહાજો નાકાબંધીમાં દખલ કરશે તો તેમને ઉડાવી દેવામાં આવશે… ટ્રમ્પની ધમકી
- j d vance: કરારની આશા વધી: 21 કલાકની વાતચીત અનિર્ણાયક, છતાં જેડી વાન્સની પહેલથી અમેરિકા અને ઈરાન વચ્ચે વિશ્વાસ વધ્યો
- pakistan: આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપવા બદલ પાકિસ્તાનમાં હોબાળો; સરકારે ચેનલને કારણદર્શક નોટિસ ફટકારી – સંપૂર્ણ વાર્તા જાણો





