આમ આદમી પાર્ટી(AAP) ગુજરાતભરમાં ભારતીય સેના તથા સૈનિકોને વંદન અને નમન સાથે તિરંગા યાત્રાનું આયોજન કર્યું. શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી કાર્યવાહી અને સાહસને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા વંદન કરે છે નમન કરે છે. આપણી મહાન ભારતીય સેનાના અદભુત સાહસને વંદન કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીએ જિલ્લા મથકથી તિરંગા યાત્રાનું આયોજન કર્યું.

જિલ્લા મથક પર મોટી સંખ્યામાં નેતાઓ,પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહિત સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યાં. તમામ કાર્યકર્તાઓ અને લોકો હાથમાં તિરંગા લઈને ‘તિરંગા યાત્રા’ શરૂ કરી અને લગભગ એક કિલોમીટર સુધી પદયાત્રા કરી. આજે ફરી એકવાર સમગ્ર આમ આદમી પાર્ટી ભારતીય સૈનિકોને લાખ લાખ વંદન, સલામ, નમન કરે છે કારણે કે આજે દેશના જવાનો સીમા પર અડીખમ ઊભા છે ત્યારે દરેક ભારતીય પોતાના ઘરમાં સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે, માટે સેના અને જવાનોને લાખ લાખ વંદન અને નમન છે અને સાથો સાથ વીર સેનાના પરિવારને પણ વંદન છે જેમને એવા વીર જવાનોને જન્મ આપી ભારત માતા અને દેશનું ગૌરવ વધાર્યું. જે જવાન ભારતીય સીમાની સુરક્ષા પર તૈનાત હતા અને શહીદ થયા છે એમને આમ આદમી પાર્ટી અને દેશના દરેક નાગરિક એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.