Vadodara : એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારી કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ વડોદરાના બાપોદમાં વિજયનગર માળી મોહલ્લામાં અસામાજિક તત્ત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના બાદ બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા.
જેના કારણે બોલાચાલી થઇ જતાં મામલો બીચક્યો હતો અને મારામારી સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન લોકોએ એકબીજા પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મહિલાઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર બાપોદ વિસ્તારમાં વિજયનગર માળી મહોલ્લામાં કેટલાક અસામાજિક તત્ત્વો મહિલાઓની છેડતી કરતા હોવાના આક્ષેપો થયા હતા. મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાના આક્ષેપ બાદ એક જ કોમના બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા બન્ને જૂથો દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
જેમાં મહિલાઓ સહિત કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. બનાવના પગલે ઇજાગ્રસ્ત અવસ્થામાં મહિલા અને નાગરિકો બાપોદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.
આ પણ વાંચો..
- AAP: આપ સરકારની સંવેદનશીલ પહેલથી – પૂરમાં ફસાયેલા પ્રાણીઓને પણ રાહત મળી
- Anurag dhanda: પંજાબમાં ભયંકર પૂર આવ્યું છે પણ રાહુલ ગાંધી મલેશિયામાં અને પીએમ ચૂપ
- Kejriwal: મોદી સરકારે અમેરિકન કપાસ પરની આયાત ડ્યુટી માફ કરીને ખેડૂતો સાથે દગો કર્યો છે- કેજરીવાલ
- Trump: શું ટ્રમ્પ ટેરિફનો અફસોસ કરી રહ્યા છે? ભૂતપૂર્વ રાજદ્વારીએ જણાવ્યું કે તેમને ભૂલ કેવી રીતે સમજાઈ
- Chandra grahan: ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ, મંદિરોના દરવાજા બંધ; હવે નિયમો જાણો