Jamnagar : પાકિસ્તાન દ્વારા ભારતના જુદા જુદા શહેરો પર ડ્રોન મારફતે હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર શહેર ઉપર પણ પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફતે હુમલો કરાયો હોવાની અને તે ડ્રોનને ભારતીય સૈન્યએ તોડી પાડ્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.

સવારે 4.30 વાગ્યાના અરસામાં જામનગર ઉપર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોવાની તેમજ તે ડ્રોન ને તોડી પાડ્યાની વાત વહેતી થઈ હતી, અને સોશિયલ મીડિયા તેમજ કેટલીક ટીવી ચેનલ મારફતે આ સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા.
દરમિયાન જામનગર જિલ્લા ના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના કંટ્રોલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેમાં આ ડ્રોન થી હુમલાની વાત એક માત્ર અફવા હોવાનું જણાવ્યું છે
તેમજ આવી કોઈ માહિતી ભારતીય સુરક્ષા એજન્સીઓ તરફથી આપવાની નથી અને આ પ્રકારની અફવા પર ધ્યાન નહીં જવા માટે કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયું છે ઉપરાંત આ એક માત્ર અફવા હોવાની પણ કંટ્રોલરૂમમાં વિશેષથી નોંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો..
- Imran khan ની બહેનોને ફરી અદિયાલા જેલમાંથી અટકાવવામાં આવી, મુલાકાતનો ઇનકાર
- Shahrukh Khan: શું શાહરૂખ ખાન અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની “રાકા” માં કેમિયો કરશે? સંપૂર્ણ વિગતો જાણો
- Virat Kohli: જો વિરાટ કોહલીને તક આપવામાં આવે તો, RCB ને નોંધપાત્ર નુકસાન થશે. આ કારણ
- Samarat Chaudhary: સમ્રાટ ચૌધરી આવતીકાલે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે
- Rajnikanth: થલાઈવર ૧૭૩: સીબી ચક્રવર્તીએ ના પાડી – રજનીકાંતની ‘થલાઈવર ૧૭૩’ માટે હવે દિગ્દર્શકની ખુરશી કોણ લેશે?





