Jamnagar : પાકિસ્તાન દ્વારા ભારતના જુદા જુદા શહેરો પર ડ્રોન મારફતે હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર શહેર ઉપર પણ પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફતે હુમલો કરાયો હોવાની અને તે ડ્રોનને ભારતીય સૈન્યએ તોડી પાડ્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.

સવારે 4.30 વાગ્યાના અરસામાં જામનગર ઉપર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોવાની તેમજ તે ડ્રોન ને તોડી પાડ્યાની વાત વહેતી થઈ હતી, અને સોશિયલ મીડિયા તેમજ કેટલીક ટીવી ચેનલ મારફતે આ સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા.
દરમિયાન જામનગર જિલ્લા ના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના કંટ્રોલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેમાં આ ડ્રોન થી હુમલાની વાત એક માત્ર અફવા હોવાનું જણાવ્યું છે
તેમજ આવી કોઈ માહિતી ભારતીય સુરક્ષા એજન્સીઓ તરફથી આપવાની નથી અને આ પ્રકારની અફવા પર ધ્યાન નહીં જવા માટે કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયું છે ઉપરાંત આ એક માત્ર અફવા હોવાની પણ કંટ્રોલરૂમમાં વિશેષથી નોંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો..
- World Cup: આઠ વર્ષ પછી ભારત મહિલા વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું, જેમીમા રોડ્રિગ્સ અને હરમનપ્રીતે રેકોર્ડબ્રેક વિજય મેળવ્યો
- રાજનાથ સિંહ ASEAN માં ભાગ લેવા મલેશિયા પહોંચ્યા, અનેક દેશોના સંરક્ષણ પ્રધાનો સાથે મુલાકાત કરશે
- ન્યાયાધીશ સૂર્યકાંત ભારતના આગામી CJI બનશે; 24 નવેમ્બરે પદભાર સંભાળશે; કાયદા મંત્રાલયે જાહેરાત કરી
- Russiaએ યુક્રેનના પાવર ગ્રીડ પર ફરી હુમલો કર્યો, 3 લોકોના મોત, દેશભરમાં વીજળી ગુલ થઈ ગઈ
- Pm Modi એ એકતા નગરમાં ઈ-બસોને લીલી ઝંડી આપી, ₹1,220 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો





