Jamnagar : પાકિસ્તાન દ્વારા ભારતના જુદા જુદા શહેરો પર ડ્રોન મારફતે હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર શહેર ઉપર પણ પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફતે હુમલો કરાયો હોવાની અને તે ડ્રોનને ભારતીય સૈન્યએ તોડી પાડ્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.

સવારે 4.30 વાગ્યાના અરસામાં જામનગર ઉપર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોવાની તેમજ તે ડ્રોન ને તોડી પાડ્યાની વાત વહેતી થઈ હતી, અને સોશિયલ મીડિયા તેમજ કેટલીક ટીવી ચેનલ મારફતે આ સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા.
દરમિયાન જામનગર જિલ્લા ના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના કંટ્રોલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેમાં આ ડ્રોન થી હુમલાની વાત એક માત્ર અફવા હોવાનું જણાવ્યું છે
તેમજ આવી કોઈ માહિતી ભારતીય સુરક્ષા એજન્સીઓ તરફથી આપવાની નથી અને આ પ્રકારની અફવા પર ધ્યાન નહીં જવા માટે કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયું છે ઉપરાંત આ એક માત્ર અફવા હોવાની પણ કંટ્રોલરૂમમાં વિશેષથી નોંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો..
- variyali: દરરોજ ફક્ત અડધી ચમચી વરિયાળી ખાવાથી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત મળે છે
- NASA: નાસાના અભ્યાસ સૂચવે છે કે પૃથ્વીએ તેના તાત્કાલિક કોસ્મિક પડોશમાંથી જીવન માટે જરૂરી ઘટકો મેળવ્યા હશે.
- હવે અખબારમાં લપેટીને ખોરાક પીરસવામાં નહીં આવે: FSSAI એ નવી ચેતવણી જારી કરી; વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી થવાની સંભાવના
- amit shah: અમિત શાહ સાથેની અમરિંદરની મુલાકાતથી પંજાબના રાજકીય ભવિષ્ય અંગે નવી અટકળો શરૂ થઈ
- શું તમારા iPhone ને iOS 27 મળશે? 8 જૂને Apple ના લોન્ચ પહેલા સપોર્ટેડ મોડેલ્સની યાદી અહીં છે




