Jamnagar : પાકિસ્તાન દ્વારા ભારતના જુદા જુદા શહેરો પર ડ્રોન મારફતે હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જામનગર શહેર ઉપર પણ પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફતે હુમલો કરાયો હોવાની અને તે ડ્રોનને ભારતીય સૈન્યએ તોડી પાડ્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.

સવારે 4.30 વાગ્યાના અરસામાં જામનગર ઉપર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોવાની તેમજ તે ડ્રોન ને તોડી પાડ્યાની વાત વહેતી થઈ હતી, અને સોશિયલ મીડિયા તેમજ કેટલીક ટીવી ચેનલ મારફતે આ સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા હતા.
દરમિયાન જામનગર જિલ્લા ના ડીઝાસ્ટર મેનેજમેન્ટ ના કંટ્રોલનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેમાં આ ડ્રોન થી હુમલાની વાત એક માત્ર અફવા હોવાનું જણાવ્યું છે
તેમજ આવી કોઈ માહિતી ભારતીય સુરક્ષા એજન્સીઓ તરફથી આપવાની નથી અને આ પ્રકારની અફવા પર ધ્યાન નહીં જવા માટે કંટ્રોલ રૂમ દ્વારા જાહેર કરાયું છે ઉપરાંત આ એક માત્ર અફવા હોવાની પણ કંટ્રોલરૂમમાં વિશેષથી નોંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો..
- Tata: નોએલ ટાટાનો વિરોધ અને એર ઈન્ડિયાની ખોટ! શું ચંદ્રશેખરન આ પડકારોનો સામનો કરી શકશે?
- Pakistan: ખૈબર પખ્તુનખ્વામાં નમાજ દરમિયાન આત્મઘાતી વિસ્ફોટમાં 15 લોકોના મોત, 50 થી વધુ ઘાયલ
- Rain in Gujarat: ગુજરાતના હવામાનમાં પલટો, મોરબીના માળિયામાં મહત્તમ 5 ઇંચ વરસાદ, ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર
- government colleges: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર દીપપ્રાગટ્ય સમારોહમાં સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓને ફરજિયાત બેસવા અંગે રોષ
- Valsad: ઉમરગામના સંજણ ગામમાં રાત્રિના અંધારામાં એક કાર ઝાડ સાથે અથડાતા ત્રણ લોકોના મોત, બે લોકોની હાલત ગંભીર




