IPL 2025 : IPL 2025ના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 11 મેના રોજ પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ હવે ધર્મશાળાને બદલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ સામે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા લશ્કરી કાર્યવાહી બાદ ધર્મશાલા એરપોર્ટને કામચલાઉ બંધ કરવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ) ના એક સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે સુરક્ષા કારણો અને લોજિસ્ટિક્સ મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, “11 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ હવે ધર્મશાળાને બદલે મુંબઈમાં રમાશે.”
દિલ્હી કેપિટલ્સ સામેની મેચ અંગે મોટી અપડેટ
જોકે, આજે ધર્મશાળામાં યોજાનારી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચને લઈને રાહતના સમાચાર છે. આ મેચનું આયોજન કરવા માટે BCCI ને ભારત સરકાર તરફથી પરવાનગી મળી ગઈ છે. આનો અર્થ એ થયો કે આ હાઇ-વોલ્ટેજ મેચ નિર્ધારિત સમયે જ યોજાશે, જ્યારે બીજી મેચ વાનખેડેમાં ખસેડવામાં આવી છે. જોકે, મેચના સ્થળમાં આ ફેરફાર સાથે, નવી તારીખની જાહેરાત હજુ બાકી છે, જે BCCI ટૂંક સમયમાં કરશે.E
આ પણ વાંચો..
- India-Pakistan war: ચાંદીપુર DRDO કેમ્પસમાં ઇમરજન્સી મીટિંગ, તુર્કીનું કાર્ગો વિમાન કરાચી પહોંચ્યું
- India-Pakistan war: ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ વધુ વણસી જતાં કચ્છ નજીક 3 ડ્રોન તોડી પાડવામાં આવ્યા, અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ
- India-Pakistan: જમ્મુ, ઉધમપુરમાં પાકિસ્તાનો ડ્રોન હુમલો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
- India Pakistan War : ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો – લાહોર, સિયાલકોટ, ફૈસલાબાદ, મુલતાનની સંરક્ષણ પ્રણાલીઓનો નાશ થયો
- NSA અજિત ડોભાલ PM મોદી ને મળવા પહોંચ્યા, ભારતે લાહોર પર મોટો હુમલો કર્યો