Junagadh : મહાનગરપાલિકા અને જિલ્લાવહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની આસપાસના વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. સવારથી શરૂ કરાયેલી કામગીરી હજુ પણ ચાલી રહી છે.
ઉપરકોટ કિલ્લાની આસપાસના વિસ્તારમાં આ કાર્યવાહી અંતર્ગત 59થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને આશરે 16,000 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાઈ છે, જેના માર્કેટ વેલ્યુ અંદાજે 50 કરોડ જેટલી છે.

આ અભિયાનની કેટલીક મહત્વપૂર્ણ બાબતો:
- ધારાગઢ દરવાજા વિસ્તાર, ઉપરકોટ કિલ્લા નજીક, જૂનાગઢ
- 400થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત
- 10 JCB અને 10 ટ્રેક્ટરો
- ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને ઐતિહાસિક જગ્યાનો કબ્જો લેવો
- આઠથી વધુ અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પડાયા
શા માટે કાર્યવાહી કરાઈ?
- લાંબાગાળાનો દબાણ મુદ્દો : ધારાગઢ વિસ્તારમાં લગભગ 14,000 ચોરસ મીટર સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર વસવાટ અને બાંધકામો હતા.
- નોટિસ અને તક : દબાણકારોને પહેલાંથી નોટિસ આપવામાં આવી હતી અને દસ્તાવેજો રજૂ કરવા માટે પૂરતી તક પણ આપવામાં આવી હતી.
- કોઈ અધિકૃત દસ્તાવેજો નહીં : દબાણકારો અધિકૃત દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી.
- અસામાજિક તત્વોની સંડોવણી : કેટલાક દબાણકારો બુટલેગિંગ અને NDPS (ડ્રગ્સ સંબંધિત કાયદો) જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે, જેના લીધે તંત્રએ શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી છે.

અસામાજીક તત્વો સામે વિરુદ્ધ કડક પગલાં લેવાશેઃ કલેક્ટર
Junagadh જિલ્લા કલેક્ટર અનિલ રાણાએ વધુમાં જણાવ્યું કે, આ ઝુંબેશ માત્ર જમીન મુક્ત કરવા માટેની નથી, પણ સમાજમાં કાયદાનું પાલન અને હક્ક અને ન્યાયની ભાળ સ્થાપિત કરવા માટેની એક નમ્ર અને દૃઢ પ્રયાસ છે. તેમણે સ્પષ્ટતા કરી કે, આ વિસ્તારમાં કેટલાંક દબાણકારો બુટલેગિંગ અને NDPS જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અસામાજિક તત્વો માટે હાલનું તંત્ર શૂન્ય સહનશીલતાની નીતિ રાખે છે અને આવા તત્વો વિરુદ્ધ આગળ પણ કડક પગલાં લેવાશે.
આ પણ વાંચો..
- Chhota Udaipur: ગેલવત ગામ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ડીઝલ ખરીદવા ગયેલા પિતા-પુત્રમાંથી એકનું મોત
- કિર્ગિસ્તાને ઇતિહાસ રચ્યો, જર્મનીનો આઘાતજનક પરાજય: તાજેતરની UNSC ચૂંટણીઓમાંથી 5 મુખ્ય બાબતો
- pakistan: શું પાકિસ્તાન ગુપ્ત રીતે ઈરાન અંગેની પરમાણુ ગુપ્ત માહિતી વોશિંગ્ટનને આપી રહ્યું છે?
- હું નારાજ હતો: Donald trumpએ ઇઝરાયલી પીએમ નેતન્યાહૂને ગાળ આપવાની વાત સ્વીકારી
- રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી અને ખોરાક ઝેરીલા બની રહ્યા છે – Governor Acharya Devvrat




