Ahmedabadથી ઉમેશભાઈ ઠક્કરનો રીપોર્ટ..
Ahmedabad : શહેરના ચંડોળા તળાવની જગ્યામાં મંગળવારે સવારથી બે હજારથી વધુ પોલીસ જવાન, અધિકારી તથા દસ એસ.આર.પી.ટીમના ચુસ્ત બંદોબસ્ત સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની 50 ટીમોએ બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા ઉપરાંત લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. 60 ટકા કામગીરી પુરી કરાઈ છે. ત્યારબાદ આજે ફરી ચંડોળા તળાવ ખાતે ફરીથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે,અને આવતીકાલે 1 મેના રોજ પણ ડિમોલિશનની કાર્યવાહી યથાવત્ રહેશે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં અરજદારોએ રજૂઆતમાં દાવો કર્યો હતો કે નિયમોની વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં વસવાટ કરતાં લોકો બાંગ્લાદેશી હોવાનું સાબિત થયું નથી. ઘર તોડી પાડવા માટે અમને કોઈપણ પ્રકારની નોટીસ આપવામાં આવી નથી. આ મામલે હાઇકોર્ટે અરજી નકારી કાઢી ડિમોલિશનની કાર્યવાહીને લીલીઝંડી આપી હતી.
ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા ઉપરાંત લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. તળાવની એક લાખ ચોરસ મીટર જગ્યામાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ દુર કર્યા હતા.દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે કહ્યું,જે મકાન આઈડેન્ટિફાય કરાયા હતા તે તોડવામાં આવ્યા છે. 60 ટકા કામગીરી પુરી કરાઈ છે. તળાવની જગ્યામાં બંધાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હજુ બે દિવસ ચાલશે.
- Swati: કેજરીવાલ સૌથી મોટો દગો છે’: સ્વાતિએ પહેલી વાર ખુલાસો કર્યો જ્યારે તેમણે AAP છોડવાનો નિર્ણય લીધો – અને તેમને સોંપવામાં આવેલા દૈનિક કાર્યો
- trump: ઈરાન સંઘર્ષ અમેરિકાને ભારે પડી રહ્યો છે: ફુગાવો ત્રણ વર્ષમાં સૌથી વધુ – જાણો ટ્રમ્પ ક્યાં ફસાયેલા છે
- Gold: ભારતની સોનાની આયાત ૩૦ વર્ષના તળિયે પહોંચી: શું તેની કિંમતો પર અસર થશે?
- mamta: સ્ટ્રોંગ રૂમમાં છેડછાડ? કોલકાતામાં ટીએમસી નેતાઓ ધરણા પર બેઠા; મમતા પહોંચ્યા; ભાજપ અને ચૂંટણી પંચ પર આરોપો
- lucknow: લખનૌ એરપોર્ટ રનવે પર અચાનક વાંદરો દેખાયો; પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી, ૧૩૨ મુસાફરોના જીવ બચાવ્યા




