Rajkot : કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ખાસ તપાસ શરૂ કરાઈ છે. છેલ્લાં ત્રણ દિવસમાં પોલીસે 52 જેટલા નાગરિકોની શંકાસ્પદની તપાસ શરૂ કરી હતી. શહેરના અનેક વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. ત્યારે શહેરના ગુજરાતી વાડી વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી. પોલીસે ડિટેઇન કરી તપાસ હાથ ધરી છે
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ શહેરના ગુજરાતી વાડીના જુમખાના મેદાન પાછળ આવેલ દિનેશભાઈ ખોડાભાઈ પાઘડાર સાથે રુકસાના બેન નામની મહિલા કોઈ પણ પ્રકારના વિઝા કે સરકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે રહેશે તેવી હકીકત મળતા પોલીસે ખાનગી રહે તપાસ કરતા રુકસાનાબેન ડૉ/ઓફ મહંમદ સદરૂદિન મોહમ્મદ ગુલામમિયાં રહે. મોહલા હરિશંકરપુર વિસ્તાર થાણા, જિંનદેહ બાંગ્લાદેશ નામની મહિલા ભારતમાં ઘૂસણખોરી કર્યાનું ખુલાસો થયો હતો.
તપાસમાં મહિલા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતી હતી,મહિલા પાસેથી ભારતીય રહેવાસી ના પુરાવા મળી ન આવેલું હોય તેમ જ મહિલા પાસેથી બાંગ્લાદેશનું ચૂંટણી પંચ નું મતદાર ઓળખ મળી આવતા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકની નજરે નજર કેદ કરી કાર્યવાહી છે તે આરંભી છે.
આ પણ વાંચો..
- આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીની તૈયારીઓ બાબતે ચર્ચા કરવામાં આવી:Manoj Sorathiya
- Horoscope: કોનો દિવસ કેવો રહેશે, જાણો તમારું રાશિફળ
- Tulsi vivah: તુલસી-શાલિગ્રામ લગ્ન દરમિયાન આ ભૂલો ટાળો; શું કરવું અને શું ન કરવું તે જાણો
- સૌથી ભારે સંદેશાવ્યવહાર ઉપગ્રહના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ; ISRO બાહુબલી LVM3-M5 રોકેટનો ઉપયોગ કરીને લોન્ચ કરશે
- Javed Akhtar ની કારકિર્દી એક મોટી સીમાચિહ્નરૂપ, ગીતકારને શિક્ષા અનુસંધાન સાહિત્ય સન્માન મળશે





