Rajkotથી કૌશલસિંહ સોલંકીનો રીપોર્ટ…
Rajkot : માનવ સેવા યુવક મંડળની રજૂઆતને સફળતા મળી છે. અન્ય સરકારી હોસ્પિટલને ઉપયોગ માટે અપાયેલા તબીબી સાધનો પરત મંગાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અંતે ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરી દેવામાં આવી છે. આ અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા તથા ભોલાભાઈ સોલંકી દ્વારા રાજયના મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે. જેને સફળતા મળી છે. આ ડોકટરોની નિમણુંક કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવેલ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ચાર નિષ્ણાત ડોકટરોની નિમણુંક કરાયેલ છે. જેમાં ડો. જેનીષ કથીરીયા એમ.ડી. ફીઝીશ્યન જે. ડાયાબીટીસ બી.પી. કમળો હૃદયને લગતી બીમારીઓ તેમજ જુદા જુદા પ્રકારના તાવ પેરાલીસીસ, ન્યુમોનીયા, ટીબી સહિતના દર્દીઓને સારવાર આપશે.
તેમજ એમ.ડી. પેથોલોજીસ્ટ ડો. ભૂમિકા વોરા અને રેડીયોલોજીસ્ટ ડો. હેમજીત શાહ અને આંખના ડો. અર્મીતાબેન મીસ્ત્રી અને એનેસ્થેટીક આ ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક થતા દર્દીઓને સેવાનો લાભ મળશે.
આ પણ વાંચો..
- Mumbai Ahmedabad bullet train અંગે આવી નવી અપડેટ; થાણે, વિરાર અને બોઇસરમાં કામ કેટલું આગળ વધ્યું છે?
- ગુજરાતમાં ફરી ભયનો માહોલ, Vadodaraની પ્રખ્યાત સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
- લાંચ, ભ્રષ્ટાચારની તપાસમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખના અમદાવાદ નિવાસસ્થાને CBI ના દરોડા
- Gujaratમાંથી 250 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરાયો, વડોદરાથી ખાસ વિમાને ભરી ઉડાન
- Gujaratમાં ભારે વરસાદથી નદી-નાળાઓમાં પૂર, સૌરાષ્ટ્રમાં પણ મુશળધાર વરસાદ