Rajkotથી કૌશલસિંહ સોલંકીનો રીપોર્ટ…
Rajkot : માનવ સેવા યુવક મંડળની રજૂઆતને સફળતા મળી છે. અન્ય સરકારી હોસ્પિટલને ઉપયોગ માટે અપાયેલા તબીબી સાધનો પરત મંગાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અંતે ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરી દેવામાં આવી છે. આ અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા તથા ભોલાભાઈ સોલંકી દ્વારા રાજયના મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે. જેને સફળતા મળી છે. આ ડોકટરોની નિમણુંક કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવેલ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ચાર નિષ્ણાત ડોકટરોની નિમણુંક કરાયેલ છે. જેમાં ડો. જેનીષ કથીરીયા એમ.ડી. ફીઝીશ્યન જે. ડાયાબીટીસ બી.પી. કમળો હૃદયને લગતી બીમારીઓ તેમજ જુદા જુદા પ્રકારના તાવ પેરાલીસીસ, ન્યુમોનીયા, ટીબી સહિતના દર્દીઓને સારવાર આપશે.
તેમજ એમ.ડી. પેથોલોજીસ્ટ ડો. ભૂમિકા વોરા અને રેડીયોલોજીસ્ટ ડો. હેમજીત શાહ અને આંખના ડો. અર્મીતાબેન મીસ્ત્રી અને એનેસ્થેટીક આ ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક થતા દર્દીઓને સેવાનો લાભ મળશે.
આ પણ વાંચો..
- Americaમાં ટ્રક ચલાવવી હોય તો અંગ્રેજી શીખવું પડશે… રાષ્ટ્રપતિ ટ્રમ્પે નવો આદેશ જારી કર્યો
- Pahalgam attack બાદ ભારતે લીધો સૌથી મોટો બદલો, એક અઠવાડિયામાં પાકિસ્તાનને 70 હજાર કરોડનું નુકસાન થયું
- ન્યાય હંમેશા મળે છે… Ajaz khanની પત્ની 6 મહિના પછી જેલમાંથી મુક્ત, ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી
- Gold price: શું સોનું ફરી 1 લાખ રૂપિયાને પાર કરશે, શું હજુ પણ ખરીદવાની તક છે?
- Canada: ચૂંટણી પરિણામો વચ્ચે કેનેડાથી ભારત માટે આવ્યા ખરાબ સમાચાર, પંજાબના નેતાની પુત્રીનો મૃતદેહ મળ્યો