Rajkotથી કૌશલસિંહ સોલંકીનો રીપોર્ટ…
Rajkot : માનવ સેવા યુવક મંડળની રજૂઆતને સફળતા મળી છે. અન્ય સરકારી હોસ્પિટલને ઉપયોગ માટે અપાયેલા તબીબી સાધનો પરત મંગાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં અંતે ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરી દેવામાં આવી છે. આ અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા તથા ભોલાભાઈ સોલંકી દ્વારા રાજયના મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરવામાં આવી છે. જેને સફળતા મળી છે. આ ડોકટરોની નિમણુંક કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવેલ છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ચાર નિષ્ણાત ડોકટરોની નિમણુંક કરાયેલ છે. જેમાં ડો. જેનીષ કથીરીયા એમ.ડી. ફીઝીશ્યન જે. ડાયાબીટીસ બી.પી. કમળો હૃદયને લગતી બીમારીઓ તેમજ જુદા જુદા પ્રકારના તાવ પેરાલીસીસ, ન્યુમોનીયા, ટીબી સહિતના દર્દીઓને સારવાર આપશે.
તેમજ એમ.ડી. પેથોલોજીસ્ટ ડો. ભૂમિકા વોરા અને રેડીયોલોજીસ્ટ ડો. હેમજીત શાહ અને આંખના ડો. અર્મીતાબેન મીસ્ત્રી અને એનેસ્થેટીક આ ચાર નિષ્ણાંત ડોકટરોની નિમણુંક થતા દર્દીઓને સેવાનો લાભ મળશે.
આ પણ વાંચો..
- Sabarkantha: અરવલ્લીના પર્વતો અને જંગલો બચાવો! કાલે ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાનું જન સંમેલન, આંદોલનની ચિમકી
- Politics Update: સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને વધુ એક ઝટકો! નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ જારી, છ દિવસ પહેલા રાહત મળી.
- Ahmedabad: ફરતી સ્ત્રીઓની ટોળકીથી સાવધાન રહો! તેઓ ગ્રાહકો તરીકે પોતાને રજૂ કરે છે અને સોનાના દાગીના ચોરી કરે છે.
- Gujarat: પાટીદારોની શક્તિ ફરી એકવાર જોવા મળશે, વિશ્વભરના એક લાખથી વધુ પાટીદાર વેપારીઓ એકઠા થશે.
- Ahmedabad: વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક, જેમાં DEOને વહીવટકર્તા તરીકે નિયુક્ત કરાયા





