કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સીઆર પાટીલે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે કહ્યું હતું કે ‘જો પાણી રોકવામાં આવશે તો નદીઓમાં લોહી વહેવા લાગશે’. CR Patil કહ્યું કે આવી ધમકીઓનો કોઈ અર્થ નથી. તેણે બિલાવલને પડકાર ફેંક્યો કે જો તેનામાં હિંમત હોય તો તે ભારત આવીને બતાવે.
ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા બાદ બિલાવલ ભુટ્ટો દ્વારા આપવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનના જવાબમાં પાટીલે આ પ્રતિક્રિયા આપી હતી. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે આ પગલું ભર્યું છે.
‘હિંમત હોય તો ભારત આવીને બતાવો’
સુરતમાં એક કાર્યક્રમને સંબોધતા CR Patilએ કહ્યું ‘મોદીજી કહે છે… ‘પાણી છે તો તાકાત છે’. પીએમ મોદીએ કહ્યું કે પાકિસ્તાનને પાણી (સિંધુ જળ સંધિ હેઠળ) મળવું જોઈએ નહીં. આ જોઈને બિલાવલ ગુસ્સે થઈ ગયા. તે કહે છે કે જો પાણી નહીં મળે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે.
તેણે આગળ કહ્યું ‘શું આપણે ડરીશું? હું બિલાવલને કહું છું કે ભાઈ તમારામાં થોડી પણ હિંમત હોય તો ભારત આવીને બતાવ. અમે આવી ધમકીઓથી ડરવાના નથી. પાણી બચાવવું એ આપણી ફરજ છે.
શું હતું બિલાવલ ભુટ્ટોનું નિવેદન
પાટીલે 2,500 થી વધુ વરસાદી પાણીના સંગ્રહના માળખાના નિર્માણ કાર્યના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત ‘જનભાગીદારી દ્વારા જળ સંરક્ષણ’ કાર્યક્રમમાં આ વાત કહી. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પાણી બચાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. પાકિસ્તાની અખબાર અનુસાર બિલાવલે કહ્યું હતું કે ‘સિંધુ અમારી હતી અને અમારી જ રહેશે – કાં તો તેમાં અમારું પાણી વહેશે અથવા તેમનું લોહી.’
તમને જણાવી દઈએ કે ભારતે પાકિસ્તાન સાથે 1960માં થયેલી સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી છે. ભારતે કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને ખતમ નહીં કરે ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે.