Umargam : રેલવે ઓવરબ્રિજનાં પશ્ચિમ તરફ સર્વિસ રોડ સાથે હાઈટેક ગટર બાંધકામનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને સોળસુંબાના દુકાનદારો આ ગટર યોજના સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ ગટર બાંધકામમાં માત્ર બે-ત્રણ વ્યક્તિઓના દિશાનિર્દેશથી કામ ચાલતાં હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ન તો દુકાનદારોની વાત સાંભળી ગઈ છે અને ન જ યોગ્ય રીતે આયોજન કરાયું છે, જેથી વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દુકાનદારોનો આક્ષેપ છે કે, બાંધકામ દરમ્યાન તેમની દુકાનોની એન્ટ્રી અવરોધાય ગઈ છે, જેના કારણે તેમની રોજગાર પર સીધી અસર પડી રહી છે. ઘણા વેપારીઓએ તો આ મુદ્દે લેખિત રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવી છે.
મહત્વનું છે કે, આવા વિકાસકામો જનહિત માટે કરવામાં આવે છે, પરંતુ યોગ્ય દિશાનિર્દેશ અને સર્વસંમતિ વગરના નિર્ણયથી હાલ માથાભારે સ્થિતિ સર્જાઈ છે. વેપારીઓની માંગ છે કે તાત્કાલિક રણનીતિ બદલી યોગ્ય પ્લાનિંગ સાથે કામ શરૂ કરાય અને દુકાનદારોના હિતોને ધ્યાનમાં લઈને આગળ વધી શકાય.
આ પણ વાંચો..
- Horoscope: મેષથી મીન રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ
- PM Modi ને ઇથોપિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, “ગ્રેટ ઓનર નિશાન” પ્રાપ્ત થયો, એમ કહીને કે તે ૧.૪ અબજ લોકોના સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે.
- ઇઝરાયલ પહોંચેલા S Jaishankar એ સિડની હુમલાની નિંદા કરી અને આતંકવાદ પર એક મોટું નિવેદન આપ્યું.
- Pm Modi ને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું, કહ્યું કે આ એક સૌભાગ્ય
- અમેરિકાએ ભારતને ત્રણ અપાચે એટેક હેલિકોપ્ટર સોંપ્યા. તેને Flying Tanks કેમ કહેવામાં આવે છે?





