Umargam : રેલવે ઓવરબ્રિજનાં પશ્ચિમ તરફ સર્વિસ રોડ સાથે હાઈટેક ગટર બાંધકામનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ખાસ કરીને સોળસુંબાના દુકાનદારો આ ગટર યોજના સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.
આ ગટર બાંધકામમાં માત્ર બે-ત્રણ વ્યક્તિઓના દિશાનિર્દેશથી કામ ચાલતાં હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ન તો દુકાનદારોની વાત સાંભળી ગઈ છે અને ન જ યોગ્ય રીતે આયોજન કરાયું છે, જેથી વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દુકાનદારોનો આક્ષેપ છે કે, બાંધકામ દરમ્યાન તેમની દુકાનોની એન્ટ્રી અવરોધાય ગઈ છે, જેના કારણે તેમની રોજગાર પર સીધી અસર પડી રહી છે. ઘણા વેપારીઓએ તો આ મુદ્દે લેખિત રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવી છે.
મહત્વનું છે કે, આવા વિકાસકામો જનહિત માટે કરવામાં આવે છે, પરંતુ યોગ્ય દિશાનિર્દેશ અને સર્વસંમતિ વગરના નિર્ણયથી હાલ માથાભારે સ્થિતિ સર્જાઈ છે. વેપારીઓની માંગ છે કે તાત્કાલિક રણનીતિ બદલી યોગ્ય પ્લાનિંગ સાથે કામ શરૂ કરાય અને દુકાનદારોના હિતોને ધ્યાનમાં લઈને આગળ વધી શકાય.
આ પણ વાંચો..
- Ukraine: લોન્ચિંગથી વિનાશ સુધી… યુક્રેને રશિયા પર ઘરે કેવી રીતે હુમલો કર્યો? સરળ ભાષામાં સમજો
- IPL 2025: BCCI ના આ નિયમથી પંજાબ કિંગ્સ IPL ચેમ્પિયન બનશે, RCB અને MI ને આશ્ચર્ય થશે
- WTO બેઠક, FTA પર ચર્ચા, રોકાણકારોને આમંત્રણ… Piyush Goyal ના ફ્રાન્સ-ઇટાલી પ્રવાસમાં શું ખાસ છે
- Nirjala ekadashi: ૬ કે ૭ જૂન… નિર્જલા એકાદશીનું વ્રત ક્યારે મનાવવામાં આવશે? એક ક્લિકમાં તમારી મૂંઝવણ દૂર કરો!
- શું આ બેંકની તિજોરી IMF કરતા મોટી છે? હવે તે ભારતને 85 હજાર કરોડનો ચેક આપશે